SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૨ ] ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે છે, જેથી શ્રેષ્ટ લેકમાં આપણું હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદરજ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપરજ આધાર રાખે છે, કેમકે –જેટલાં વચનનો નિર્વાહ કરી શકો, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢે. અર્ધા માર્ગમાં મૂકે ન પડે, તેટલા જ ભાર પ્રથમથી ઉપાડે. કદાચિત કાંઈ ઓચિંતા કારણથી ધનની હાની થઈ જાય, અને તેથી કરેલી કાળ મર્યાદામાં જણ પાછું ન વાળી શકે, તે કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણદારને સંતોષ કરે. એમ ન કરે તે વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાધ પડે. વિવેકી પુરૂષે પિતાની સર્વ શક્તિથી ત્રણ ઉતારવાનો પ્રયત્ન કરો. આ ભવે અને પર ભવે દુઃખ દેનારૂં અણુ ક્ષણ માત્ર પણ માથે રાખે એ કોણ મૂઢમતિ હશે? કહ્યું છે કે—ધર્મનો આરંભ, અણુ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુને ઉછે, અને અગ્નિનો તથા રેગનો ઉપદ્રવ મટાડો એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું, ત્રણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું ) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુ:ખ દઈને પાછલથી સુખ આપે છે. પિતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જે ત્રણ પાછું આપી ન શકાય તે, પોતાની ચેગ્યતા માફક શાહકારની સેવા કરીને પણ ત્રણ ઉતારવું. એમ ન કરે તો આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડે, બળદ, ઉંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આદિ થવું પડે. ઉત્તમ લેણદાર કોણ? શાહુકારે પણ ત્રણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહીં. કારણ કે, તેથી ફેગટ સંકલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “તને આપવાની શક્તિ આવે ત્યારે મહારૂં જણ આપજે અને ન આવે તે મહારૂં એટલું દ્રવ્ય ધર્મ ખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી અણને સંબંધ માથે ન રાખવો; કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તે, આવતે ભવે પાછો બે ત્રણનો સંબંધ હાઈ વેર વગેરે વધે છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ત્રાણુના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે – ભાવડશેઠનું દૃષ્ટાંત. બાવડ નામે એક શ્રેણી હતું. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં, તથા શ્રેણીની સ્ત્રીને દેહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણા અપશુકન થયા. સમય પૂર્ણ થયે છીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થયે. તે ઘરમાં ૨ખાય નહીં, તેથી માલણ નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂક્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy