SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] অৱৰিথিম । તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂક્યા, અને તેની જગ્યા ઉપર હાથમાં રાંપડી રાખનાર એક નજીકમાં મોચી હતું, તેને રાખે. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રાંપડી લખતા હતા. તેને વંશ હજી દિલ્લીમાં હયાત છે. રાજસેવાની શ્રેષ્ઠતા. આ રીતે રાજાદિક પ્રસન્ન થાય તે ઐશ્વર્ય આદિને લાભ થ અશક્ય નથી. કહ્યું છે કે–શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિપષણ અને રાજાને પ્રસાદ એટલા વાના તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લેકો રાજ આદિ લેકેની સેવા કરવાની ભલે નિંદા કરે; પણ રાજસેવા કર્યા વગર સ્વજનનો ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહીં. કુમારપાળ નાશી ગયે, ત્યારે સિરી બ્રાહ્મણે તેને સહાયતા આપી, તેથી તેણે પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજય આપ્યું. કોઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિલિયાનું કામ કરતું હતું. તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજા, તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પિતે દીક્ષા લઈ સિદ્ધ થયો. મંત્રી, શ્રેણી, સેનાપતિ આદિનાં સર્વ કામે પણ રાજસેવામાંજ સમાઈ જાય છે. એ મંત્રી આદિનાં કામે ઘણું પાપમય છે, અને પરિણામે કડવાં છે માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્જવાં. કહ્યું છે કે જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં. જુઓ, ધોબી પિતાનાં પહેરવાનાં વસ્ત્ર વેચાતા લઈને પહેરે છે કે શું? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન્ન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે, તે પણ ગુણિપાળ, કોટવાલ, સીમાપાળ વગેરેના અધિકાર તે ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવાં. કેમકે–તલાર, કોટવાલ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કેઈ માણસને પણ સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત કોઈ શ્રાવક સ્વીકારે છે, તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની પેઠે શ્રાવકની સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા; કેમકે જે માણસોએ પાપમય એવાં રાજકાર્યો કરવા છતાં, તેની સાથે ધર્મનાં કૃત્ય કરીને પુણ્ય ઉપાજર્યું નહીં, તે માણસને દ્રવ્યને અર્થે ધૂળ દેનારા લોકો કરતાં પણ હું મૂઠ જાણું છું. પિતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તે પણ તે શાશ્વતપણું ધારી રાજાના કેઈ પણ માણસને કોપાવવો નહીં. તથા રાજ આપણને કોઈ કાર્ય કરવા સેપે તો રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગ. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવક રાજાની જ કરવી. એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એ હું, કોઈ શ્રાવકને ઘેર દાસ થાઉં તે પણ સારૂં, પણ મિથ્યાત્વથી મેહિત મતિવાલે રજા કે ચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy