SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ાિચવવા [ ૨૦૨ ] પહોંચી. એક વખત આમલકલ્પ નગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યાભદેવતા ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન્ આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વાગે ગયે, ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વિરભગવાને સૂર્યા દેવતાનો પૂર્વભવ તથા દેવના ભવથી એવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશ રાજાનું દષ્ટાંત છે. આમરાજા બપ્પભટ્ટસૂરિના અને કુમારપાળરાજા શ્રી હેમચંદ્રસૂરિના સદુપદેશથી બેધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. હવે થાવગ્નાપુત્રની કથા સંક્ષેપથી નીચે લખી છે થાવાપુત્રની કથા. દ્વારિકા નગરીમાં કઈ સાર્થવાહની થાવસ્થા નામે સ્ત્રી ઘણું ધનવતી હતી. થાવગ્ગાપુત્ર એ નામે ઓળખાતે તેનો પુત્ર બત્રીશ કન્યા પરણ્યો હતો. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબંધ પામ્યું. થાવચા માતાએ ઘણે વાર્યો, તે પણ તેણે દીક્ષા લેવાનો વિચાર માંડી વાળે નહિ. ત્યારે તે થાવસ્થા માતા, પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ. કુબણે પણ થાવસ્થાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહીં. વિષયસુખ ભેગવ.” થાવસ્થાપુત્રે કહ્યું કે, “ભય પામેલા માણસને વિષયભેગ ગમતા નથી.” કૃણે પૂછયું. “મહારા છતાં તને ભય શાને?” થાવસ્થાપુત્રે કહ્યું. “મૃત્યુનો.” પછી કૃષ્ણ પોતે તેને દીક્ષા ઉત્સવ કર્યો. થાવસ્ત્રાપુત્રે એક હજાર શ્રેષ્ઠી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂવ થયે, અને સેલક રાજાને તથા તેના પાંચસે મંત્રીઓને શ્રાવક કરી સૌગંધિકા નગરીમાં આવ્યું. તે સમયે શ્વાસને પુત્ર શુક નામે એક પરિવ્રાજક ત્યાં પિતાના એક હજાર શિષ્ય સહિત હતા. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાકી, અંકુશ, પવિત્રક અને કેસરી નામાં વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેનાં વસ્ત્ર ગેરૂથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારે હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શોચ(પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતે હતે. તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પોતાને શોચમૂળ ધર્મ લેવરાવ્યું હતું. થાવચાપુત્ર આચાર્ય તેને જ ફરી પ્રતિબધ કરી વિનયવાળા જિનધર્મનો અંગીકાર કરાવ્યું. પછી સુદર્શન શેઠના દેખતાં શુક પરિવ્રાજકને તથા થાવાપુત્ર આચાર્યને એક બીજાને નીચે લખ્યા પ્રમાણે પ્રશ્નોત્તર થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy