SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ - - प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૨ ] દેશના સાંભળવાની રીતિ. વળી કહ્યું છે કે–શ્રાવકે નિદ્રા તથા વિકથા વજી મન વચન કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી અને બરાબર ઉપગ સહિત ભકિતથી બહુમાનપૂર્વક ગુરૂનો ઉપદેશ સાંભળો. વળી સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરૂની આશાતના ટાળવાને માટે ગુરુથ્થી સાડાત્રણ હાથનું અવગ્રહ ક્ષેત્ર મૂકી તેને બહાર જીવજતુ રહિત ભૂમીએ બેસીને ધર્મદેશના સાંભળવી. દેશના શ્રવણનાં લાભ. કહ્યું છે કે–શાસ્ત્રથી નિદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થએલા તાપને નાશ કરનારૂં, સદગુરૂના મુખરૂપ મલય પર્વતથી ઉત્પન્ન થએલું ચંદન સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરૂષને જ મળે છે. ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનને નાશ થાય, સમ્યતવનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દેષનો ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિનો ત્યાગ થાય, સત્સંગતિને લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય ઉપજે મોક્ષની ઈરછા થાય, શકિત માફક દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી દેશવિરતિની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય. વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એ પ્રદેશી રાજા, આમ રાજા, કુમારપાળ, થાવસ્થાપુત્ર વગેરેના દાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે–જિનેવર ભગવાનનું વચન સાંભળે તે બુદ્ધિને મેહ જતો રહે, કુપંથને ઉછેદ થાય, મોક્ષની ઈચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે, જે જિને. શ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે? પિતાનું શરીર ક્ષણભંગુર છે, બાંધવ બંધન સમાન છે. લક્ષમી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે માટે જેન સિદ્ધાંત સાંભળો. તેથી સંવેગ વગેરે ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાંત માણસ ઉપર કેઈ ઉપકાર કરવામાં ખામી રાખતા નથી. એ પ્રદેશી રાજાનું દષ્ટાંત ટુંકમાં નીચે પ્રમાણે છે – પ્રદેશ રાજાનું સંક્ષિપ્ત દ્રષ્ટાંત. વેતાંબી નગરીમાં પ્રદેશ નામે રાજા અને ચિત્રસારથી નામે તેને મંત્રી હતે. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રોકેશિ ગણધર પાસે શ્રાવતિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશિ ગણધર વેતાંબી નગરીએ પધાર્યા ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના ન્હાને પ્રદેશ રાજાને કેશિ ગણધર પાસે લઈ ગયો. ત્યારે મુનિરાજને કહ્યું કે-“હે મુનિરાજ. તમે વૃથા કષ્ટ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy