SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ક: પ્રથમ દિન-પ્રાર [ ૨૨ ] પરસ્પર બંને પ્રીતિવાલાં થયાં. કેઈ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધુપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગા. તે પાપકર્મથી એ ઊંટડી થઈ. કહ્યું છે કે જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેથી જ પિતાના ઘરનાં કામ મેહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારો બનેનો સનેહ પૂર્વભવના સંબંધથી આવેલ છે. એ રીતે ભગવાન આગળ કરેલે દી વાપરવા ઉપર દષ્ટાંત છે. માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઇ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દી પણ સળગાવો નહીં. ભગવાનના ચંદનથી પિતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ છેવાય નહીં. દેવની શેષ (નમણુ) પણ નીચે પડેલું કે પડતું સ્વપ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પિતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઉલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરૂને અથવા સંઘને કામે લગાડાય નહીં. અહીં કેટલાંકને મત એવો છે કે કાંઈ તેવું જરૂરનું કામ હોય તો દેવનાં ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મહાટે નકર આપો. કહ્યું છે કે–જે મૂઢ પુરૂષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિસ્મત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકર આપીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત ભાંગી તૂટી જાય તે પિતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂ કરેલે દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલો હોય, તો તે તેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજાને અર્થે જ ભગવાન્ આગળ મૂક્યા હોય તે, તે દેવદીપ થાય. મુખ્યમાર્ગથી તે દેવદીપને અથે કડીયાં, બત્તી અથવા ઘી, તેલ પોતાને કામે ન વાપરવાં. કેઈ માણસે પૂજા કરનાર લેકેને હાથ પગ દેવાને માટે મંદિરે જાદુ જળ રાખ્યું હોય, તો તે જળથી હાથ પગ ધોવાને કાંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદિ વસ્તુ પોતાની નિશ્રાએ ન રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પોતાના ઘરમાં કાંઈ પ્રયજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદી વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય તે તે સર્વ ધર્મકૃત્યોમાં વાપરી શકાય છે. પિતાની નિશ્રાએ રાખેલે તંબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તે પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે, મનના પરિણામજ પ્રમાણભૂત છે. . એમ ન હોય તે, પિતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન્ આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર-પાટ આદિ વતું ભાડું આપીને પણ ન વાપરવી, કારણ કે, તેથી નિર્વસ પરિણામ વગેરે દેષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy