SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ]. श्राद्धविधिप्रकरण । આપવા એ નિયમ લીધો. પછી પૂર્વભવના પાપને ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું. તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું તેટલું આપ્યું. તે ઉપરાંત બને ભાઈની પાસે પૈડા વખતમાં બાર કોડ સેનિયા જેટલું ધન થયું, તેથી તે હેટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી તથા અંતે દીક્ષા લઈ તે બન્ને જણ સિદ્ધ થયા. આ રીતે જ્ઞાનદ્રવ્ય ઉપર કર્મસારની અને પુયસારની કથા કહી. જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની પેઠે શ્રાવકને ન જ કપે સાધારણંદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તેજ વાપરવું કપે, નહિ તે નહીં. સંઘે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રને વિષે જ વાપ૨વું, પણ યાચકાદિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તે જે દ્રવ્ય ગુરૂના ચૂંછનાદિકથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાઓને આપવામાં કાંઈ પણ યુક્તિ દેખાતી નથી. અર્થાત તે દ્રવ્ય શ્રાવક શ્રાવિકાને અપાય નહીં. ધર્મશાળાદિકના કાર્યમાં તે તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ પત્રાદિક શ્રાવકે પિતાના કામમાં ન વાપરવા તેમજ અધિક નકરે આપ્યા વિના તેમાંથી પિતાને માટે પણ પુસ્તક ન લખાવવું. સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યોગ્ય નથી. કારણ કે, તે ગુરૂદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નકારવાળી આદિ તે પ્રાયે શ્રાવકોને આપવા માટેજ ગુરૂએ વહેરી હોય છે, અને તે ગુરૂએ આપી હોય તે તે વાપરવાને વ્યવહાર દેખાય છે. ગુરૂની આજ્ઞા વિના સાધુ, સાધ્વીને, લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર સૂત્રોદિકનું વહારવું પણ ન કપે. ઈત્યાદિક વાત જાણવી. આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ ડું પણ જે પિતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે છે, તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ મહેસું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લેકેએ થડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને ઉપલેગ સર્વ પ્રકારે વજ. માટેજ માળ પહેરાવવી, પહેરામણી, મુંછન ઇત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તેજ વખતે આપવું. કદાચિત તેમ ન થઈ શકે તો જેમ શીધ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તે વખતે દુર્દેવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે, અને તેમ થાય તે સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે. આ વિષય ઉપર એવી વાત કહેવામાં આવે છે કે – દેવું રાખવાથી લાગતા દોષ અંગે નષભદત્તનું દ્રષ્ટાંત. મહાપુર નામે નગરમાં અરિહંતનો ભક્ત એ રૂષભદત્ત નામે મટે છેકી રહે તે * ગુરૂની સન્મુખ ઉભા રહી તેમના ઉપરથી ઉતારી ભેટ તરીકે મૂકેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy