SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિજય .. [૨૮] થયે. પછી તે પિતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરની સારસંભાળ પોતાની સર્વે શક્તિથી કરે, દરરોજ કરે, દરરોજ મહેાટી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાજીને છેવટ તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ, ગીતાર્થ થઈ, યથાયોગ્ય ઘણી ધર્મદેશના આદિ દેવાથી જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરી, અને તેથી પૂર્વે બાંધેલું જિનનામકર્મ નિકાચિત કર્યું. તે ઉપરાંત સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવતાપણું તથા અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ જોગવી ક્ષે જશે એમ સાગરશ્રેણીની કથા કહી. જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મસાર પુણ્યસારનું દ્રષ્ટાંત. ભેગપુર નગરમાં વીસ ક્રોડ સોનૈયાને ધણુ ધનાવહ નામે શેઠ હો, તથા ધનવતી નામે તેની સ્ત્રી હતી. તે દંપતિને પુયસાર અને કર્મસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા. એક દિવસે ધનાવહ છેષોએ કેઈ નિમિત્તિયાને પૂછયું કે, “મહારા બને પુત્રે આગળ જતાં કેવા નીવડશે ?” નિમિત્તિયાએ કહ્યું, “કર્મસાર જડ સ્વભાવનો અને ઘણે જ મંદમતિ હોવાથી આડુંઅવળું ડહાપણ વાપરીને ઘણા ઉદ્યમ કરશે; પણ પિતાનું સર્વ દ્રવ્ય ખેાઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુસાર પણ પિતાનું તથા પિતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જે જ દુઃખી થશે તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. બને પુત્રને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.” - શેઠ બને પુત્રોને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂકયા. પુણ્યસાર સુખથી સર્વ વિદ્યાઓ ભયે. કમસારને તો ઘણું પરિ. શ્રમ કરે, પણ વાંચતાં એક અક્ષર આવડે નહીં. ઘણું શું કહીએ? લખતાં વાંચતાં વગેરે પણ ન આવડે. ત્યારે વિદ્યાગુરૂએ પણ “એ સર્વથા પણ છે.” એ નિશ્ચય કરી તેને ભણાવવાનું મૂકી દીધું. પછી બને પુત્ર યુવાવસ્થામાં આવ્યા ત્યારે માબાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બને જણને ગાજતે વાજતે પરણાવ્યા. “મહામાંહે કલહ ન થવું જોઈએ ” એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સનેયા જેટલે ભાગ વહેંચી આપી અને પુત્રોને જૂદા રાખ્યા અને ધનાવહ શેઠ પિતાની પત્ની સાથે દીક્ષા લઈ સ્વર્ગે ગયે. હવે કર્મસાર પિતાના સ્વજન સંબંધીનું વચન ન માનતાં પિતાની કુબુદ્ધિથી એવા એવા વ્યાપાર કરવા લાગ્યું કે, જેમાં તેને પૈસે ટકે નુકશાન જ થયું. થોડા દિવસમાં પિતાએ બાપેલા બાર કોડ સેનેયા તે ખાઈ બેઠો. પુણ્યસારના બાર કોડ સોનૈયા તે ચરેએ ખાતર ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy