SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ I [ 8 ] श्राद्धविधिप्रकरण । :: | ગાંગીલ ઋષિ મૌન રહ્યા. હવે શું કરવું? એ ચિંતામાં રાજા આમ તેમ જુએ છે, તેવામાં અવસરને જાણ ન હાય શું? તેમ પેલે પોપટ ઝટ પાસે આવી બોલવા લાગ્યું કે, “હે રાજન ! તું મારી પાછળ આવ. હું તને માર્ગ દેખાડું. જો કે હું એક પક્ષી છું, છતાં પણ મારા પર વિશ્વાસ રાખનારને નિરાશ ન કરું. ચંદ્રમા સસલાને નિરંતર પિતાની પાસે જ નથી રાખતે શું ? કે સામાન્ય માણસ પણ મારે આશ્રયે આવ્યા હોય તે તેને નિરાશ ન કરું તો તમારા જેવા મહાન પુરુષને નિરાશ કેમ કરી શકું? હે આર્યશ્રેષ્ઠ રાજેંદ્ર! હું ક્ષુદ્ર પ્રાણી છું, એમ સમજી તમે મને ભૂલી ગયા, પરંતુ હું તો તમને ભૂલનાર નથી.” આવાં પ્રિય વાકો સાંભળતાં જ રાજા આશ્ચર્ય પામ્યો અને ગાંગીલ અશ્વિની રજા લઈ સ્ત્રી સહિત અશ્વ પર ચડીને તે પિોપટ પાછળ ચાલ્યા. શીધ્ર ગતિથી પોપટ પાછળ ચાલતે, પિતાના રાજ્યની ચિંતાથી વ્યગ્ર થયેલે તે રાજા, થોડા જ વખતમાં પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરને દૂરથી દેખી શકાય, તેટલે નજીક આવી પહોંચે, અને શુકરાજ ત્યાં પાસે રહેલા એક વૃક્ષની ટોચ પર બેસી ગયો. તે જોઈ ચિંતાતુર રાજા તેને આગ્રહપૂર્વક કહેવા લાગ્યા–“જે કે સામે નગરના , કીલ્લા, મહેલ પ્રમુખ દેખાય છે, તે પણ નગર હજી ઘણું દૂર છે, માટે હે શુકરાજ ! રીસાયેલા માણસની પેઠે અહીંયાં જ કેમ બેસી ગયે?” હુંકારપૂર્વક તેણે પ્રત્યુત્તર આપે “ડાહ્યા પુરુષો જે કંઈ કાર્ય કરે છે, તે કંઈ કારણ વગર કરતા નથી, તેનું સબળ કારણ હોય છે. આગળ ન જતાં અહીંયાં જ અટકી રહેવાનું પણ એક સબળ કારણ છે, માટે જ હું અહીંથી આગળ જ નથી.” આથી અત્યંત ગભરાઈને રાજા પૂછવા લાગ્યા કે “એવું શું કારણ છે? તે સત્વર મને કહી દે.” તેણે કહ્યું, “સાંભળે, મહારાજ ! ચંદ્રપુરી નગરીના ચંદ્રશેખર રાજાની બેન ચંદ્રાવતી નામે તમારી જે વહાલામાં હાલી રાણી છે, તે બહારથી જ મધુર ભાષણ કરનારી છે પણ અંદરથી કપટી અને તમારા પ્રત્યે દુષ્ટ વૃત્તિ રાખનારી છે. ખરેખર! એ રાણી મુખ જેવી છતાં વાઘણ જેવી દેખાય છે. પાણીની માફક નારીની પણ નીચી જ ગતિ હોય છે. તમે જ્યારે આ કમલમાળાના મેળાપને માટે મારી સાથે રાજ્ય સૂનું મૂકી આવતા રહ્યા, ત્યારે તે રાણીએ ડાકણની પેઠે છલ કરીને પોતાના ભાઈ ચંદ્રશેખરને તમારું રાજ્ય તાબે કરવાને આ અનુકૂલ અવસર છે એમ જણાવ્યું. પિતાના ધારેલા કામને પાર પાડવામાં સ્ત્રીઓમાં કપટ એ જ મેટું બળ હોય છે. સહેજમાં આવી મળતા રાજ્યને લેવા કોણ ન ઉત્સુક હોય? તેમ તે ચંદ્રશેખર પિતાનું ચતુરંગ સૈન્ય લઈ તમારું રાજ્ય લેવાની આશાથી સત્વર તમારા નગર સમીપ આવી પહોંચ્યા છે. પણ અંદર રહેલા તમારા પ્રધાને અને સેનાપતિ આદિએ ત્વરાથી નગરના દરવાજા બંધ કરી દીધા હોવાથી, ખજાના પર જેમ સર્ષ વીંટાઈ જાય, તેમ આ તમારા નગરને ચોતરફ પિતાના સૈન્યથી ઘેરીને તે રાજા નગરની બહાર જ સમુદ્ર સરખી સેના લઈ પડ્યો છે. કિલ્લા પર ચડીને તારા વીર તેજસ્વી સુભટે અભિમાનપૂર્વક ચંદ્રશેખરના સૈન્ય સાથે યુદ્ધ કરી રહ્યા છે. પરંતુ લેકમાં કહેવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy