SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथः હત્યકારો [ ૨૭]. નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એવો બે પ્રકારને ધર્મ છે. તેમાં પહેલે ધર્મ છેડો ઉપાર્યો હોય, તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગુણું ફળ આપે છે. અને બીજે ધર્મ ઘણે ઉપાર્યો હોય તે પણ પ્રમાણુવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જે કાંઈ પણ ઠરાવ કર્યા વગર કેઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધર્યું હોય, તો તેથી કિંચિત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય. અને જે ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તે ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. તને જાણ પુરૂષ હોય. તે પણ અવિરતિનો ઉદય હેય તો શ્રેણિક રાજાની પેઠે તેનાથી નિયમ લેવાતો નથી. અને અવિરતિનો ઉદય ન હોય તે લેવાય છે. તે પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમને ભંગ ન કર. એ વાત તે આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્મદત્ત પૂર્વભવથી આવેલી ધર્મ રૂચિથી અને ભકિતથી પિતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતાં, માટે એણે દૂધ વગેરે પીધું. આજે ક્ષુધા તૃષાથી પીડાય તો પણ દર્શનનો અને વંદનાને વેગ ન મળવાથી એણે મન દ્રઢ રાખી દૂધ ન પીધું. અમારા વચનથી એને અભિગ્રહ પૂર્ણ થયે, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂર્વભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય. અથવા કરવા ધાયું હોય, તે સર્વ પરભવે પૂર્વભવની પેઠે મળી આવે છે. એ મહિમાવંત પુરૂષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિ. પૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી અવીને જૂદા જૂદા મોટા રાજકુળમાં અવતરી એની રાણીઓ થશે. સાથે સુકૃત કરનારાઓને વેગ પણ સાથે જ જ રહે છે. ” મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લોક નિયમ સહિત ધર્મને સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. “પુત્રને પ્રતિબંધ કરવાને અર્થે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે વૈતાઢ્ય પર્વતે ઊડી ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એ જાતિસ્મરણ પામેલો ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની પેઠે પાળતો દિવસ જતાં વૃદ્ધિ પામવા લાગ્યો. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હોવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લોકેત્તર સદ્દગુણ જાણે માંહોમાંહે સ્પર્ધાથીજ વધતા હોય તેમ પ્રતિદિન વધવા લાગ્યા. તે ધર્મદત્તના સદ્દગુણેને ધર્મ કરવાથી વિશેષ શોભા આવી. કારણ કે, એણે ત્રણ વર્ષની ઉમ્મરેજ “જિનેશ્વર ભગવાનની પૂજા કર્યા વગર જમવું નહીં. ” એવો અભિગ્રહ લીધે. નિપુણ ધર્મદત્તને લખવું, ભણવું આદિ બહોતેર કળાઓ જાણે પૂર્વ લખેલી ભણેલીજ હાયની ! તેમ સહજમાત્ર લીધાથીજ શીધ્ર આવડી ગઈ. પુણ્યનો મહિમા ઘણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy