SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૬ ] ૩ સાચી વિધિ છે, પણ સમ્યગું બહુમાન નથી, આદર નથી એ ત્રીજો ભાગે સમજ. ૪ સાચી વિધિ પણ નથી અને સમ્યગૂ બહુમાન પણ નથી એ ચેાથો ભાંગે સમજો. ઉપર લખેલા ભાંગામાંથી પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમ લાભકારી છે અને ત્રીજો તથા ચોથા ભાગે બીલકુલ સેવન કરવા લાયક નથી. એટલા જ માટે બ્રહતભાષ્યમાં કહેલ છે કે-વાંદણના અધિકારમાં (ભાવપૂજામાં) રૂપા સમાન મનથી બહુમાન સમજવું અને મહાર છાપ સમાન સર્વ બહારની ક્રિયાઓ સમજવી. બહુમાન અને ક્રિયા એ બંનેનાં સંગ મળવાથી વંદના સત્ય જાણવી જેમ રૂપું અને મહાર સત્ય હોય તે રૂપી બરોબર ચાલે છે, તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બને તેવાથી સત્ય સમજવી. બીજા ભાગા સરખી વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હેય પણ ક્રિયા શુદ્ધ નથી તે પણ માનવા ચોગ્ય છે. બહુમાન છે, ક્રિયા શુદ્ધ કરાવી શકે છે. એ બીજા ભાંગ સરખી સમજવી. કોઈક વસ્તુના લાભના નિમિત્તથી ક્રિયા અખંડ કરે, પણ અંતરંગ બહુમાન નથી તેથી ત્રીજા ભાગની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે ? એ તે કેવળ લેકોને દેખાડવા રૂપજ ગણાય છે, એ નામની જ ક્રિયા છે, તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. જેથભાગે પણ કશા કામને નથી, કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચેથા ભાંગાને તરવથી વિચારીએ તે વંદના જ ન ગણાય. દેશ કાળને આશ્રથીને થોડો અથવા ઘણે વિધિ અને બહુમાન સંયુકત એ ભાવસ્તવ કરે. વળી જિનશાસનમાં ૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભકિતઅનુષ્ઠાન, ૩ વચન અનુષ્ઠાન, ૪ અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારનાં અનુષ્ઠાન કહેલાં છે. ભદ્રકપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કાંઈ કામ કરતાં પ્રીતિને સ્વાદ ઉત્પન્ન થાય છે, બાળકાદિકને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે, તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું. શુદ્ધ વિવેકવંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભકિત સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે, તેને ભકિત અનુષ્ઠાન પૂર્વાચાર્યો કહે છે. બંનેમાં (પ્રીતિ અને ભકિત અનુષ્ઠાનમાં) પરિપાલણ ( લેવા દેવાની ક્રિયા) સરખી છે, પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભકિતરાગ એમ બંનેમાં રાગ ભિન્ન ભિન્ન જાતિને હોય છે, તેમ પ્રીતિ અને ભકિત અનુષ્ઠાનમાં પણ એટલે જ તફાવત સમજ. સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન, પ્રમુખ સર્વ સૂત્રમાં કહેલી રીતિ મુજબ કરે, તેને વચનાનુષ્ઠાન કહેવાય; પણ આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાશ્વસ્થાદિને નહીં. ફલની આશા ન રાખનાર ભવ્યજીવ શ્રુતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરૂષોએ અસંગ અનુષ્ઠાન જાણવું અને તે જિનકલ્પી વિગેરે. ને હોય છે. જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ પ્રયોગથી ચક્ર ભમ્યા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy