SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન- ઇ#ારા .. [ ૫૨ ] તેણે તે કારણ જાણીને વિચાર કર્યો કે, ખરેખર આ બધા ચિત્રકાર અવિધિથી યક્ષની મૂર્તિ ચિતરે છે કે જેથી તેના પર કોપાયમાન થઈને તે યક્ષ તેને પ્રાણ લે છે, માટે આ વર્ષને વારે હું જ ત્યાં જઉં અને તે ચક્ષની મૂર્તિ યથાવિધિ કરૂં, જેથી મારા આ ગુરૂ ભાઈને બચાવી શકીશ અને જે મારી કલ્પના ખરો ઠરશે તે હું પણ બચીશ અને વળી તેથી આ ગામના બધા ચિતારાઓનું ચિરકાળનું કષ્ટ કાપી નાખીશ. એમ ધારીને વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યું કે, હે માતા! જે તને તારા પુત્ર માટે આટલું બધું દુઃખ થાય છે, તે આ વર્ષે તારા પુત્રને બદલે હું જ પિતે યક્ષની મૂર્તિ ચિતવા જઈશ. તેણીએ તેને વાણું સમજાવ્યો, પરંતુ તેણે માન્યું નહીં. છેવટે જયારે ચિતરવાને દિવસ આબે, ત્યારે તે ચિતારાએ પ્રથમથી છઠ્ઠ તપ કર્યો અને શરીર સ્નાન કરી શુદ્ધ કર્યું. વળી શુદ્ધ વસ્ત્ર પહેરી ધૂપ, દીપ, નૈવેદ્ય, બલિદાન, રંગ, રોગાન, પીંછી, બધાં શુદ્ધ લઈ ત્યાં ગયે. અષ્ટપટનો મુખકેશ બાંધી પ્રથમથી દેરાસરની જમીનને નિર્મળ જળથી ધોવરાવ, પવિત્ર કૃતિકા(માટી) અને ગીના છાણથી લીંપાવીને તેને ઉત્તમ ધૂપથી યૂપીને મન, વચન, કાયા સ્થિર કરી શુભ નિમિત્ત કરીને પછી યક્ષને નમસ્કાર કરી સન્મુખ બેસીને યક્ષની મૂર્તિ આલેખી ત્યાર પછી ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ પ્રમુખથી પૂજા કરી નમસ્કાર કરતા ખમાવવા લાગ્યો કે, “હે યક્ષરાજ ! આ તમારી મૂર્તિ આલેખતાં જે કાંઈ મારી ભૂલ થઈ હેય તે ક્ષમા કરશે ” તે વખતે યક્ષે આશ્ચર્ય પામીને પ્રસન્ન થઈ તેને કહ્યું કે, માંગ, માંગ, હું તારા ઉપર તુષ્ટમાન છું,” ત્યારે તે હાથ જોડીને બે કે, “યક્ષરાજ, જો તમે મારા ઉપર તુષમાન છો, તે આજ પછી કોઈ પણ ચિતારાને મારવો નહીં.” તેણે તે કબલ કરી કહ્યું કે, “એ તે તે પરોપકાર માટે માંગ્યું, પણ હવે તું તારા માટે કાંઈ માંગ” તેણે ફરીથી કાંઈ માંગ્યું નહીં. ત્યારે પ્રસન્ન થઈને યક્ષે કહ્યું કે, જેનું તે એક અશ અંગ દીઠું હશે, તેનું આખું અંગ તું ચીતરી શકીશ એવી કળાની શક્તિ તને આપું છું. ત્યારપછી ચિતારે તેને પ્રણામ કરીને પોતાને સ્થાનકે ગયે. એક વખતે તે હોશંબીના રાજાની સભામાં ગયેલ તે વખતે રાજાની રાણીને એક અંગુઠો જાળી વિગેરેમાંથી દઠેલ હતો, તેથી તેણે તે મૃગાવતી રાણીનું આખું રૂપ ચીતર્યું. રાજા તે જોઈ ખુશી થયે, પણ છબી તપાસતાં રાણીની જંધા ઉપર તિલક હતું, તે પણ તેમાં દેખીને તત્કાળ શંકા ઉત્પન્ન થવાથી તેને મારી નાખવાની આજ્ઞા આપી. ત્યારે તે ગામના સર્વ ચીતારા ભેગા થઈ રાજા પાસે આવી કહેવા લાગ્યા કે, સ્વામી, એને યક્ષે વરદાન આપ્યું છે, તેથી જેનું એક અંશ અંગ તેણે દીઠું હોય, તેનું આખું અંગ ચીતરી આપે છે. પછી રાજાએ તેની પરીક્ષા કરવા સારૂ એક કુબડી દાસીને પડદામાંથી પગનો અંગુઠો દેખાડી તેનું ચિત્ર કરી લાવવા કહ્યું તેણે તે ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેને જમણે હાથ કાપી નાખવાની આજ્ઞા આપી, જેથી તે જમણા હાથ રહિત થયે. પછી તેણે તેજ - યક્ષની પાસે જઈ ડાબા હાથથી ચીતરવાની કળા માંગી. યક્ષે તેને તે પણ આપી. ત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy