SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન-પ્રારા ! [ 8 ] મળમૂત્ર કરવાનાં સ્થાન. રાખને કે છાણને ઢગલે પડયો હોય તેમાં ગાયને બેસવા બાંધવાનાં ઠેકાણામાં રાફડા ઉપર, ઘણાં માણસે જ્યાં મળમૂત્ર કીધા હોય તેમાં, આંબા ગુલાબ પ્રમુખનાં થડમાં, અગ્નિમાં, સૂર્ય સામે, માર્ગ વચ્ચે, પાણીના સ્થાનમાં રમશાન પ્રમુખ ભયંકર સ્થાનમાં, નદીને કાંઠે, નદીમાં, સ્ત્રી તથા પિતાના પૂજ્યના દેખતાં, એટલાં ઠેકાણાં મૂકીને મળમૂત્ર કરવાં, પરંતુ આકરી પીડા થઈ હોય તો એટલા ઠેકાણે પણ મળમૂત્ર કરવાં. ઘનિર્યુક્તિ પ્રમુખ આગમમાં પણ સાધુ આશ્રયીને એમ કહેવું છે કે – જ્યાં બીજા કોઈ આવી ન ચડે તેમજ બીજો કોઈ દેખી ન શકે એવા સ્થાનકે ત્યાં બેસતાં નિંદા ન થાય કે કોઈ સાથે લડાઈ ન થાય એવા સ્થાનકે સરખી ભૂમિમાં એટલે પડી ન જવાય એવા સ્થાનકે ઘાસ પ્રમુખે ઢાંકેલી ભૂમિ વર્જિત સ્થાને કેમકે એવી ભૂમિમાં બેસતાં ઘાસ વિગેરેમાં જે કદાપિ વીંછી, સર્પ, કીડા, પ્રમુખ હોય તો વ્યાઘાતને સંભવ થાય અને કીડી વિગેરે હોય તે મરી જાય. થોડા કાળની કરેલી ભૂમિકામાં; વિસ્તીર્ણ ભૂમિમાં જઘન્યથી પણ એક હાથની જમીનમાં જઘન્યથી પણ ચાર અંગુલ જમીન અગ્નિ તાપાદિકથી અચિત્ત થઈ હોય એવા સ્થાનમાં અતિશય આસન (પાસ) નહીં (દ્રવ્યથી ધવળ ઘર આરામાદિકને નજીક નહીં અને ભાવથી આકરી પીડા થઈ હોય તે તેવા સ્થાન પાસે પણ સરવે); બીલ વર્જિત સ્થાનકે, બીજ, લીલોતરી, ત્રસ જીવ રહિત સ્થાનકે એવાં સ્થાનકે મળમૂત્ર સરાવે (ત્યાગ કરે છે. | દિશી, પવન, ગ્રામ, સૂર્ય, છાયા પ્રમુખના સન્મુખ થઈને તેમજ ત્રણ વાર પ્રમાઈને ત્રણવાર મgઝાદુ કરતો એ પાઠ કહીને શરીરની શુદ્ધિ થવા માટે વોસિરાવે અને શુદ્ધિ કરે. ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે માટે તેના સન્મુખ મળમૂત્ર ન કરવો. દક્ષિણ દિશા સામે બેસતાં ભૂત પિશાચાદિકનો ભય થાય છે. પવન સન્મુખ બેસતાં નાશિકામાં પવન આવવાથી અશ થાય છે. સૂર્ય તથા ગામના સન્મુખ બેસવાથી તેની નિન્દા થાય છે. જેને કૃમિ નિકલતાં હોય તે છાયામાં મલ ત્યાગ કરે પણ જે તડકામાં બેસવું જ પડે તે, બે ઘડી પર્યન્ત છાયા કરી ત્યાં ઊભે રહે. - મૂત્ર રકવાથી ચક્ષુ જાય, મલ રોકવાથી જીવિતવ્યથી રહિત થાય, ઉલટી આદિને રોકવાથી કોઢ થાય અને એ ત્રણેને રોકવાથી ગ્લાન(મંદવાડ)ની પ્રાપ્તિ થાય છે. મળ, મૂત્ર, ચૂંક, બળ, સલેખમાદિ જ્યાં નાખવાં હોય ત્યાં પહેલાંથી અgirટ્ટ એમ કહીને વોસિરાવે, અને સરાવ્યા પછી તત્કાળ સરે એમ ત્રણ વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy