SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ગ્રહો અને રત્નો વિધિ કરેલી વીંટી પહેરવાથી નબળા રાહુની તમામ ખરાબ અસરને નાશ થાય છે તથા તે રાહુ માણસને સારુ ફળ આપે છે. દુ:ખ તથા ઉપાધિઓ દૂર થાય છે. તથા માણસને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. રાહુના દાનને માટેની ચીજ : રાહુને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં દાન આપવા માટે વિધિ પણ દર્શાવેલ છે. તેને માટે ખાસ કરીને કાળા રંગની વસ્તુઓ વધારે શ્રેષ્ઠ ગણાય છે, જેમ કે કાળાં કપડાં, ઊનનાં ધાબળા અથવા કામળા, કાળાં ફૂલ, કાળો ઘેડે, વગેરે રાહુના દાન માટેની ચીજો ગણાય છે. કાળા તલ તથા કાળા, લોખંડની ચીજો પણ રાહુ માટેની જ ગણવામાં આવે છે. તેલ અને સુર પદાર્થો પણ રાહુને પ્રાન કરનારા માનવામાં આવે છે. રાહુની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં આ સઘળી વસ્તુઓનાં દાન આપવાનું દર્શાવેલું છે. આ ઉપરાંત રાહના આરાધનમાં પણ આ સઘળી ચીજો વાપરવી તે ફાયદાકારક ગણાય છે. તેનાથી રાહુ પ્રસન્ન થાય છે તથા માણસને ઉત્તમ ફળની પણ પ્રાપ્તિ થાય છે અને સઘળાં સંકટો દૂર થાય છે. જે માણસના જન્મ સમયે રાહુ નબળા હોય અથવા તો રાહુની ખરાબ મહાદશા કે અંતર્દશા ચાલતી હેય કે પછી ગોચરમાં રાહુનું દુષ્ટ સ્થાનમાં ભ્રમણ ચાલતું હોય તે તેવા સમયે રાહુની પ્રસન્નતા માટે રાહુના સ્તોત્રને પાઠ કરે ઘણે જરૂરી ગણાય. રાહુની પ્રસન્નતા માટે શંકરનું આરાધન પણ શ્રેષ્ઠ ગણાય છે. રાહુને પ્રરાન કરવા માટે નીચે સ્તોત્ર આપવામાં આવે છે.. છે રાહુ સ્તુતિ વિધુતુદ પ્રસીદ– સદારે શશિસૂર્ય ! શાંત્યર્થ તે મયા દત્ત ગૃહાણાધ્ય નમસ્તુતે છે કરાલવદન શ્રેષ્ઠ: સર્વવ્યાધિ વિનાશકઃ | સુખાર્થ તુ મયા પૂજ્ય પ્રસીદપરપીડન | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy