________________
૧૨૮
રહે અને રત્ન
મદદ કરતા હોય છે તે જોવું જોઈએ. પ્રશ્ન સંતાન છે માટે ગુરૂ અથવા ચંદ્રથી પાંચમું સ્થાન ને તેમાં જે ગ્રહ રહ્યો હોય તે જેવો જોઈએ. એમાં જ બળવાન ગ્રહ હોય તેનું નંગ પહેરવાથી કદાચ ઈચ્છિત ફળે અથવા તેની સામે જે શુભગ્રહ હોય તેની ઉપાસનાથી ફળ મળે. મંગળ પાંચમે હોય પણ ગુરૂ નવમે હોય કે દેહ ભાવમાં હોય કે તે રીતે ગુરૂ, શુક્ર વગેરે હોય તો તેને ફળદાયી જાણવા ને તેની ઉપાસના કરવી.
અહીં બે દષ્ટાંત રાહુનાં આપીએ છીએ. એક રાવજીભાઈ પટેલને બીજા સ્થાનમાં રાહુ હતો. દરેક ધંધામાં કઈને કઈ ખોટ આવી જાય. એ પોતે જ્યોતિષનું જ્ઞાન ધરાવતા હતા પણ ધંધે નિષ્ફળ જ જાય. ઘણું ધંધા કીધા ને નાણાં ખેયાં. પછી એક વખત વિચાર કરતાં એમને સૂઝયું કે રાહુ બીજે છે માટે હવે રાહુનો જ ધંધો કરે એમ વિચારીને કચરાપટ્ટીને શહેરમાંથી નિકાલ કરવાની ગોઠવણનું કામ એણે ઉપાડ્યું ને એમાં કાળાન્તરે ફાવ્યા ને ધનની ચિંતા ગઈ. પણ એકવાર તે પોતે ઘણું ટીકાપાત્ર પોતાના ગામમાં જ થઈ પડયા હતા.
આવું એક બીજું દૃષ્ટાંત રાહુનું એક જ્યોતિષીએ આપ્યું હતું. એના ગ્રાહકની નાણાકીય સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જ્યાં ત્યાંથી પાછા પડવાનું થાય ને સૌ તેને ધુત્કારે. જ્યોતિષી આગળ એણે બધી બીના કહી. કાળા મગ ખાઈ બુધવાર કર્યો. ભૂખ્યા રહી કર્યા, સંકટ ચતુર્થીઓ કેટલીયે કરી નાખી. પણ દિવસે દિવસે તેની સ્થિતિ કથળતી ગઈ. જ્યોતિષીએ તેને ભંગિયાની જેમ રહેવા ફરમાવ્યું ને ૧૮ દિવસનો પ્રયોગ કર્યો. તેમાં આ ગ્રાહકે સ્નાન કરવાનું નહિ. જાજરૂ જઈ આવીને સ્નાન કરવાનું નહિ. કપડાં બદલવાનાં નહિ. માથે હોળવાનું નહિ. જાજરૂ સાફ કરવાનું. ખાળ ચેકડી સાફ કરવાનાં. કચરો વાળવા વગેરે વગેરે બધું રાહુનું કામ કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org