SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ગ્રહો અને રને - તે ત્રણ ધાતુનાં માદળિયામાં સૂર્ય કવચ ધારણ કરવાથી સૂર્ય જે બનશે. એમ કેમ લખ્યું ? આ પ્રશ્ન છે. એક જ ઉત્તર અમને લાગે છે કે સૂર્ય માટે સોનું, ચાંદી ને ત્રાંબાનું મિશ્રણ ચોગ્ય છે. એ સૂર્યને બંધન કરે નહિ. ત્રાંબુ કેમ બંધન ન કરે ? એ પ્રશ્ન થશે જ. પણ ખરું જોતાં સૂર્યના ગળામાં તમામ ધાતુઓ ને નંગો વગેરેના પ્રવાહી છે. સામાન્યત: અલંકાર ઘડવામાં સોના અને ત્રાંબાની જ મેળવણી વધુ આવકારદાયક ગણાય છે. પિત્તળની એટલી બધી નહિ. કેમકે ત્રાંબાથી સોનામાં એક પ્રકારનો વિશેષ ઓ૫ આવે છે. આમ માનવું પડે. એક જણે કહ્યું હતું કે નંગ આંગળીને અડકે પણ એ માટે વટી જ કેમ પહેરવી ? લેકેટ, કંકણ પણ ચાલે. પણ નંગ ચામડીને સ્પર્શી એવું જોઈએ આનું એક બીજું પણ વૈદકીય દષ્ટિએ કારણ છે. વૈદ્યો કહે છે કે અમુક રીતે કબજિયાત દૂર કરવા રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખી સૂર્યોદય થતા પહેલાં પી જાઓ પછી ઊંધતા નહિ. અમુક શક્તિ લાવવા તેઓ કહે છે કે પાણીના ટામ શુદ્ધ ચાંદીનું ઘરેણું આખી રાત રાખો ને પછી તે પાણી સવારે પી જાઓ. તે મુજબ સોનાનું ઘરેણું રાખીને પાણી પીએ તો ક્ષય, દમ નહિ થાય. આ ત્રણ ધાતુ સિવાય બીજી ધાતુનો ઉલ્લેખ વૈદ્યો આ રીતે કરતાં નથી. ત્રાંબું, સનું ને ચાંદી પાણીમાં આઠ દશ કલાક પડી રહેવાથી તેમના ગુણેની અતિમદ અસર પાણીમાં ઊતરે છે ને તે પાણી પીવાથી તેની અસર જલદી થાય છે કેમ કે પાણી તરત જ જઠરમાં મળી જાય છે. તરત અસર થાય છે એનો અર્થ એ કરવાનો કે તે રક્તમાં સહેલાઈથી ભળી જાય છે. બીજી દવાઓની જેમ મધ, પીપરની જરૂર પડતી નથી. પણ આવા પ્રયોગ લાંબા સમયના છે. આ જ કારણથી સૂર્યને ત્રિલેહમાં પહેરવાનું લખ્યું હશે ને તે ત્રિલોહ સોનું, ચાંદી ને તાંબુ જ હશે. સોના-ચાંદીના વાસણમાં ભોજન લેવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy