SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ગ્રહો અને રત્નો તો શું કરવું ? કષ્ટ કે અનિષ્ટનું નિવારણ કઈ રીતે થઈ શકે ? આપણે વેદમાં અને પુરાણોમાં વાંચીએ છીએ કે દેવોને દાનવોએ હેરાન કીધા દાનને પગે પડીને મનાવવા ગયા નથી. તેમની આરાધના કરી નથી પણ વધુ બળવાન દેવ વિષ્ણુ, શંકર, શક્તિ વગેરેની સહાય અને માર્ગદર્શન યાચ્યું છે. તો એ જ ન્યાયે જ્યારે અનિષ્ટકારક ગ્રહની અસર થાય છે એવું લાગે તો વધુ સબળ ને સુખદાયક ગ્રહની આરાધના કરવી એગ્ય છે. એટલે કુંડળીમાં વધુ બળવાન ગ્રહ શુભ ફળ આ૫નારે હેય તેનું નગ પહેરી તેની પૂજા કરી તેની સહાય માગવી. પછી ભલે અનિષ્ટકારક ગ્રહના જપ કરવા હોય તો તે કરવા, એવું અમારું મંતવ્ય છે. અમારા મતે અનિષ્ટકારક શનિ હોય ને ગુરૂ બળવાન હોય તે ગુરૂનું નંગ પહેરવું ને મંગળ અનિષ્ટકારક હોય તે શુકનું નંગ પહેરવું. રાહુ અનિષ્ટકારક હોય તો બુધનું નંગ પહેરવું. શુભ ગ્રહ અનિષ્ટકારક હોય તો તે શુભ ગ્રહનું નંગ પહેરી તેના મંત્ર જપ કરવા કેમકે શુભ અનિષ્ટ હોવા છતાં તે શુભ ગ્રહ હોવાથી તરત જ મનાવી લેવાય. તેમ સૂર્ય પણ પ્રાણકારક હોવાથી તેને પણ મનાવી શકાય ને તે સૂર્યમંત્રથી અથવા ગાયત્રી મંત્રથી. હવે પાપ ગ્રહ અનિષ્ટ ફળ આપનાર હેય ને તે પાછા પાપ દૃષ્ટિમાં પણ હોય તો શુભ ગ્રહનું નંગ પહેરી દષ્ટિ કરનાર ચડના જપ પણ અનિષ્ટકારક ગ્રહના જપ સાથે કરવા. કેઈને આ બાબત વિચિત્ર લાગે પણ અજમાવી જોવા જેવી છે. હવે ખાસ ગ્રહો શનિ અને મંગળ છે એનાં નંગ ધારણ કરવામાં ધ્યાન રાખવાનું છે. પિપલાદ મુનિએ શનિને પોતાના તપોબળથી ક્રોધી આંખે નીચે પાડ્યો હતો પણ પછી સમાધાન થતાં તેણે શનિની સ્તુતિ કરી હતી અને તેનાં નામનાં ગુણગાન કર્યા હતાં. “ કણરથ પિંગલે બભ્રઃ કૃષ્ણ રૌદ્રોનકો યમઃ સૌરિઃ શનૈશ્ચરે મંદ પિપ્પલાદેન સંસ્કૃત:” આ નામે પ્રાત:કાળે બેલવાથી શનિ પીડા થતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy