SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બે ત્રીજ માનીને સંવત્સરીની આરાધના કરાઈ. પરંતુ આમાંથી એક નો તરખડાટ જન્મે. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાની તેમજ કલ્યાણકાદિ, તિથિઓ ફેરવી નાખવાની જે ગરબડ ચાલુ હતી, તેને સુધારી પંચાંગ બહાર પાડવું શરૂ થયું. આ વાતને ઠીક માનનારાઓ તરફથી પણ કેટલીકવાર એવું કહેવાય છે કે -આચરણ સાચું હોય તે પણ શ્રમણ સંઘને એકત્રિત કરીને, સંમતિ મેળવીને કરવું જોઈતું હતું. ખરેખર! તેમ બન્યું હેત તે તે ઘણું જ સારું થાત. પરંતુ જે રીતિએ આ બધું બન્યું તેમાં શ્રમણસંઘને તરતમાં ભેગો કરી નિર્ણય કરે એ કેટલે અંશે શકયું હતું, એ પણ વિચારવાની જરૂર છે. વધુમાં એમ પણ પૂછાય છે કે-જેઓ પાંચમના ક્ષયે પંચાંગની ઉદયતિથિ ભા. સુ. એથે જ અત્યાર સુધી સંવત્સરી કરતા આવ્યા હતા, તેમણે આ વર્ષે ચંડાશુચંડુની પહેલી પાંચમે સંવત્સરી કરવાનું કાર્ય શ્રમણસંઘને એકઠા કરવાપૂર્વક નિર્ણય લઈને ક્યાં કર્યું હતું ? જે પંચાંગની પહેલી પાંચમે સંવત્સરી નહિ કરતાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વગેરેએ પહેલાંની ચાલુ પ્રથાની જેમ ઉદયાત ભા. સુ. ચોથે સંવત્સરી કરી હત, તે તિથિમાં સુધારો કરનારા વર્ગને સુધારો કરવાને અવકાશ મળી શકત નહિ. એ વખતે પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની જે રૂહી ચાલી આવતી હતી, તેમાં ઔદયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy