SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નઃ ના, એ તો કાંઇ જણાવ્યું નથી. તો આ ઉલ્લંઘનની વાત પણ મૃષાવાદ છે ? ઉત્તર ઃ એ તમારે વિચારી લેવાનું. તથા, શ્રી વીર માત્યાનં વાર્ય તોાનુૌરિતિ.... એ વચનના આધાર તથા શ્રીકાલિકાચાર્ય વગેરે સંબંધી સર્વમાન્ય સંદર્ભોનો આધાર આવા કુલ ૬ આધારો મે ટાંકયા જ છે.. તમે પણ આ વાતો વાંચી જ હશે ને ? પ્રશ્નઃ હા, અમે પણ એ બધા સંદર્ભો વાંચેલા જ છે. તો " તમે બધુ સંદર્ભો આધાર વિના જ લખ્યું છે." એવા ભાવનું નિરૂપણ કરતી જિનવાણી માસિકની એ વાતો પણ મૃષાવાદ જ છે? ઉત્તર ઃ એ નિર્ણય તમે સરળતાથી કરી શકો છો. પ્રશ્ન : પણ, તમારી પુસ્તિકાનો, આ સંદર્ભે જ તો મુખ્ય આધાર છે અને મુખ્ય વિષય છે, છતાં એમને કેમ એ લક્ષ બહાર ગયા? શું દૃષ્ટિરાગનો એ પ્રભાવ છે કે પછી જોયા તો હોય, પણ એના વિશે અસંમત થવા માટેનો કોઇ મુદ્દો ન મળવાથી જાણે કે તમારી પાસે આવા કોઇ સંદર્ભો છે જ નહીં. એવી ભ્રાન્તિ સ્વશ્રદ્ધાળુઓને કરાવાની અપ્રશસ્ત મનોવૃત્તિ છે? ઉત્તર ઃ આવા પ્રશ્નોના જવાબ ક્યાં તો તેઓ ખુદ આપી શકે. .ને- ક્યાં તો વિશિષ્ટ જ્ઞાની આપી શકે. પ્રશ્ન : એ વિભાગમાં ‘ભગવાને ધર્મશાસનની સ્થાપના કરી ત્યારથી જ લોક-લોકોત્તરના ભેદ પડ્યા અને ભગવાનનો સંઘ લોકથી નોખો પડ્યો. આથી ભગવાને શું ‘ભાવસત્ય' ગુમાવ્યું ? આગળ Jain Education International [ ૮ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001771
Book TitleTithi Ange Satya ane Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherKantilal Chhaganlal Shah Mumbai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy