SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે સામાન્યબુદ્ધિ ધરાવનાર વાંચકો પણ અત્યંત સહેલાઈથી સમજી શકે છે. સુજ્ઞ વાંચકો જ લેખકશ્રીને પ્રશ્ન કરશે કે, “ક્યાં ગઈ તમારી શાસ્ત્રોની તારવણી ? પર્વતિથિનો પણ ક્ષય આવે છે. તે સરળતાપૂર્વક સ્વીકારવામાં ક્યાં વિસ્તાર થઈ જવાનો હતો ?' પણ સામે ચાલીને સામા પક્ષે જવાથી હવે આ “અહોરૂપ અહોધ્વનિ'નો આલાપ બંધ કરાવવો બહુજ કઠિન છે. લેખકશ્રી આ ખુશામત બંધ કરી શાસ્ત્રપાઠો જાહેર કરે. સંસ્કારના નામે કુસંસ્કાર એ શ્રમણત્વને કલંક છે લેખકશ્રી પૃષ્ઠ ૩૧ ઉપર જણાવે છે કે, એકતા ઉદયાત્ ચોથની હોય કે પ્રથમ પાંચમ ફલ્યુતિથિની? સમજણ વગર જ પ્રશ્ન લેખકે ઊભો કર્યો છે. કારણકે જૈન શાસ્ત્ર અનુસાર કોઈ ફલ્યુતિથિ-નપુંસક તિથિ હોતી જ નથી. અને વર્તમાન શ્રી સંઘ આરાધના માટે જે પંચાંગ પ્રકાશિત કરે છે એમાં પાંચમ બે હોતી જ નથી એટલે પ્રથમ પાંચમ-ફલ્યુતિથિ... વગેરે શબ્દો માત્ર ભ્રમણા સિવાય બીજુ કશું નથી. લૌકિક પંચાગને વગર સંસ્કારે માની લીધુ એ જૈનત્વનું કલંક છે.' આ વાતની સામે નીચેના શાસ્ત્રપાઠો તથા શાસ્ત્રાનુસારી મંતવ્યો અમે રજુ કરીએ છીએ જેથી સુજ્ઞ વાંચકોને ખ્યાલ આવશે કે વાસ્તવમાં લેખકશ્રીજ હજી ભ્રમણના વમળમાં જ છે. ૧. પૂ. સાગરજી મહારાજાનું શાસ્ત્રાનુસારી મંતવ્ય પ્રશ્ન ૮૩૮-બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન - 14 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy