SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા પૂર્વાચાર્યો આ રીતે દરેક તબક્કે આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજીની વ્યાખ્યા મુજબના ‘ભાવસત્ય’ની રક્ષા કરવા માટે ‘દ્રવ્યસત્ય” છોડતા ગયા હોત તો આપણા હાથમાં આજે જે વિશુદ્ધ મોક્ષમાર્ગ આવ્યો છે, તે આવ્યો જ ન હોત. તિથિની બાબતમાં શિકારીનું ઉદાહરણ કેટલું ઉચિત? દ્રવ્યસત્ય અને ભાવસત્ય બાબતમાં શિકારી અને મહાત્માનું જે ઉદાહરણ આપવામાં આવ્યું એ ઉદાહરણ પર્વતિથિની બાબતમાં લાગુ ન કરી શકાય. તેનાં કારણો આ રહ્યાં : (૧) શિકારીના ઉદાહરણમાં બે પક્ષ છે. એકપક્ષે અહિંસાના ઉપાસક મહાત્મા છે અને બીજા પક્ષે હિંસા દ્વારા પોતાની આજીવિકાનું ઉપાર્જન કરનાર શિકારી છે. મહાત્માના હૃદયમાં જીવદ્યા ભરેલી છે, જયારે શિકારી સ્વાર્થમાં અંધ થઇને નિર્દોષ જીવની હિંસા કરવા તત્પર બન્યો છે. પર્વતિથિના વિવાદમાં જે બે પક્ષ છે તેમાં ક્યા પક્ષની સરખામણી શિકારી સાથે કરીશું અને ક્યા પક્ષને મહાત્મા સાથે સરખાવીશું? આ વિવાદમાં કોઇની સરખામણી શિકારી સાથે કરી શકાય નહીં. (૨) તિથિના વિવાદમાં જે બે પક્ષ છે તે બંને પક્ષ શાસ્ત્રોને માનનારા. છે, સિદ્ધાંતને માનનારા છે, શાસ્ત્રસાપેક્ષ પરંપરાનો આદર કરનારા છે અને બધી જ આરાધ્ય પર્વતિથિઓની શાસ્ત્રોક્ત પદ્ધતિએ આરાધના કરવાની ભાવના ધરાવનારા છે, એવો તેમનો દાવો છે. તેમની અંદર જે મતભેદ છે, તે શાસ્ત્રોના અર્થઘટનની બાબતમાં જ છે. એટલે અહીં કોઇ શિકારી નથી, બંને પક્ષે મહાત્માઓ જ છે. બંને પક્ષ શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવે છે, એટલે અહીં દ્રવ્યસત્ય અને ભાવસત્ય એવા ભેદો પાડવાની જરૂર નથી. અહીં દ્રવ્યસત્ય છે તે જ ભાવસત્ય છે. માટે ભાવસત્યની રક્ષા માટે દ્રવ્યસત્યનો ભોગ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ભાવસત્યની રક્ષાનો પ્રશ્ન ત્યારે જ . પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરી એO૭ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001767
Book TitleParvatithina Bhavsatyani Raksha Karie
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy