SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષની સંવત્સરી આપ એક દિવસ મોડી કરો, જેથી નગરજનો ઈન્દ્રોત્સવમાં ભાગ લઈ શકે. આચાર્ય મહારાજે વિચાર્યું કે કલ્પસૂત્રના વચન પ્રમાણે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી ન શકાય માટે સંવત્સરી એક દિવસ મોડી કરી શકાય જ નહિ, પણ એક દિવસ વહેલી, એટલે કે ચોથની સંવત્સરી કરવામાં કોઈ શાસ્ત્રબાધ આવતો નથી. આ કારણે તેમણે સકળ સંઘની સંવત્સરી ભાદરવા સુદ ચોથના કરાવી. સંવત્સરીથી બરાબર ૭૦ રાત્રિ પછી ચોમાસી આવે, એ કારણે કારતક સુદ પૂનમની ચોમાસી ચૌદશ થઈ, ફાગણ સુદ પૂનમની ચોમાસી ચૌદશની થઈ અને અષાઢ સુદ પૂનમની ચોમાસી પણ ચૌદશે થઈ. આ રીતે તે પછીના વર્ષે પણ અષાઢ સુદ ચૌદશની એટલે કે ચોમાસી પછી પ૦ મે દિવસે જ એટલે કે ભાદરવા સુદ ચોથે જ સંવત્સરીની આરાધના થઈ, જે આજ સુધી ચાલુ છે. તપાગચ્છના તમામ આચાર્યો એકમતે આ ભાદરવા સુદ ચોથની સંવત્સરી સ્વીકારે છે. એ બાબતમાં કોઈ જ મતભેદ નથી. આપણે અગાઉ જોયું તેમ તપાગચ્છમાં ઉદયતિથિએ જ આરાધના કરવાનું અત્યંત સ્પષ્ટ વિધાન છે. જો ઉદયતિથિની ક્ષયવૃદ્ધિ હોય તો જ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો ઉપયોગ કરી તે પર્વતિથિની આરાધનાની વ્યવસ્થા કરવાની હોય છે. ઉદયતિથિને પ્રમાણ નહિ ગણનારને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર મહાદોષ લાગે છે, એ પણ આપણે જોયું. હવે સંવત ૨૦૬૧ની સાલમાં તપાગચ્છમાન્ય શ્રી જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ વગેરે ક્યારે આવે છે, તેનું અત્યંત સૂક્ષ્મ અને સચોટ નિરીક્ષણ આપણે બિલોરી કાચ લઈ કરીએ. તિથિ પ્રારંભ ત્રીજ મંગળવાર તા. ૬-૯-૨૦૦૫ પરોઢિયે ૪.૦૦ કલાકે પૂર્ણાહુતિ. બુધવાર તા.૭-૯-૨૦૦૫ પરોઢિયે. ૫.૨૪ કલાકે પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએT૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001767
Book TitleParvatithina Bhavsatyani Raksha Karie
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy