SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તે સમયના સમુદાયના વડેરા પરમ પૂજ્યપાદ તારક ગુરુ ભગવંતના સુવિહિત નિર્ણયથી છઠની ક્ષયવૃદ્ધિ યમસદને પહોંચીને યમરાજાની અતિથિ બની હતી, તેને પુનર્જીવન બક્ષવાની પૂર્ણ ખેવના રખાઈ છે. એ અવિહિત ખેવનાએ પ. પૂ. શ્રી જૈન સંઘની એકવાક્યતામાં કે ભયંકર અક્ષમ્ય તરખાટ મચાવીને શ્રી સંઘમાં કેવી ભયંકર તિરાડ પાડી છે, તે તો આજે આપણે સહુ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. શ્રી સંઘ માટે એ એક તીવ્રતમ પાપોદયવાળી અસહ્ય દુઃખદ ઘટના છે. શ્રમણપ્રધાન પરમ પૂજ્ય પરમારાથ્યપાદ શ્રી વિજય દેવસૂર તથાગચ્છ જૈન સંઘે આજથી લગભગ ઓગણત્રી વર્ષ પહેલાં “જન્મભૂમિ પંચાંગ”ને માન્યતા આપીને સ્વીકારેલ ત્યારથી પતિથિની આરાધના, પર્વાધિરાજરાજે ધર શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના, કલ્યાણક આદિન આરાધના કયા દિવસે કરવી તે અંગેની તિથિના નિર્ણય તેમ જ શ્રીજિનમન્દિર-ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થાને ખનનવિધિ, શિલા સ્થાપનવિધિ શ્રી અંજનશલાકા-પ્રતિષ્ઠાધ્વજદંડ કળશ પ્રતિષ્ઠા, શ્રી શાંતિસ્નાત્ર-અષ્ટાદ્ધિક મહોત્સવ, આચાર્યાદિ પદપ્રદાન, દીક્ષા, સંઘપ્રયાણ તેમ જ માળારોપણ આદિ અનન્ત મહાતારક પુણ્ય પ્રસંગેનાં મહામાંગલિક શુ મુહૂર્તે શ્રી સંઘમાન્ય “જન્મભૂમિ પંચાંગ”ના આધારે અપાય છે. જન્મભૂમિ પંચાંગના સંકલન-કર્તાઓ તિથિ, ગ્રહ, નક્ષત્રાદિના ગણિતની ગણનામાં શક્ય તેટલી સૂક્ષ્મતાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001766
Book TitleTithi Samadhan Pattak Samiksha
Original Sutra AuthorN/A
AuthorKalyansagar
PublisherMokshkalyanak Samyak Shrutnidhi Mahesana
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy