SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનમાદિક તિથિઓ પર્યપણે આરાધવા લાયક જ છે, જે માટે શ્રાદ્ધદિનકૃત્યસૂત્રમાં કહ્યું છે કે-છ તિથિઓમાંથી આજ કઈ તિથિ છે? ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે, વળી ચાઉસઠમ ઈત્યાદિક સૂત્રની વ્યાખ્યા આવી રીતે છે-ચઉદસ અને આઠમતો પ્રસિદ્ધ જ છે. ઉદિષ્ટ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્રતિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચોમાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતો હતો.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ (ત્રણ પુનમનું આરાધન) વિધિવાદરૂપનથી. ચરિતાનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે- જે ક્રિયાનું અનુષ્ઠાન કોઈ એકેજ કરેલું હોય તે ચરિતાનુવાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવાદ, અને વિધિવાદ તો બધાએ પણ અંગીકાર કરવો જ જોઈએ. ચરિતાનુવાદ બધાએ અંગીકાર કરવો એવો નિયમ નથી. આ વાત અર્થથી સેનપ્રશ્નમાં કહેલી છે. માટે કદાગ્રહ છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશો કર. નહિંતર તું ગુરૂને લોપનાર, (ગુરૂના વચનોને લોપનાર) અને ઠગ થઈશ. આ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરૂપણ કરેલું છે તે પણ તું સાવધાન થઈને સાંભલ-સવારે પચ્ચખ્ખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયને અનુસાર દિવસ વિગેરેનો વ્યવહાર થાય છે, વલી પૂર્વઋષિઓએ કહેલું પણ છે કે ચોમાસી, સંવચ્છરી, પકખી, પાંચમ અને આઠમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્યનો ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી [૧] પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ તેમજ નિયમ-ગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિએ કરવું જોઈએ નારા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી, જો બીજી તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે III પારાસરસ્કૃતિમાં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તે સંપૂર્ણ ન જાણવી. ઉમાસ્વાતિ વાચકનો પ્રઘોષતો એમ સંભળાય છે કે-ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને (૩૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001765
Book TitleParvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year2005
Total Pages54
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy