SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિ એક સમસ્યા અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્તપરમાત્માનું પરમતારક શાસન જ આ વિશ્વમાં સર્વોપરિ છે. અનન્તઃખમય આ અસાર સંસારથી મુકત બનવા એ પરમ-તારક શાસનની આરાધનાને છોડીને બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી અરિહન્તપરમાત્માની પરમતારકતા એ વિશ્વકલ્યાણક્ર શાસનની સ્થાપનામાં સમાયેલી છે. જીવમાત્રના કલ્યાણના એકમાત્ર એ સાધનની સાધના કરવાનું છોડીને એની સાથે રમત કરવાનું, કેટલાક લોકોએ નીચતાભર્યું દુષ્કર્મ શરૂ ક્યું છે. અને એ રમતને તોડી પાડવાના બદલે એની ઉપેક્ષા કરવાનું ખૂબ જ ભયંકર કૃત્ય આજે કેટલાક સમર્થો કરી રહ્યા છે, જે ખરેખર જ સર્વ રીતે અનર્થકર હોવાથી બધી જ રીતે પ્રતીકારને પાત્ર છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જેમના શિરે આ પરમતારક શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની સમગ્ર જવાબદારી છે – એ મહાત્માઓ સીધી કે આડકતરી રીતે આવી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આથી વધારે કમનસીબી બીજી કઈ હોઈ શકે ? - અસલ એકતિથિના નામે ઓળખાતા વર્ગમાંના કેટલાક આચાર્યદેવોએ આજથી સો વર્ષ પૂર્વે જ પરમતારક શ્રી જિનશાસનના શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પરંપરાની સાથે રમત કરવાની શરૂઆત કરી દીધી હતી, જે આજ સુધી અવિરતપણે ચાલી રહી છે. છેલ્લાં પંદરેક વરસથી બે-તિથિના નામે ઓળખાતા વર્ગમાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001764
Book TitleTithi Ek Samsya
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy