SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જ્યારે, સંજ્ઞાને બળવાન ગણવી પડે છે, તો, ૧ ટૂંકી પણ તિથિ સાક્ષાત્ વિદ્યમાન છે. છતાં સંજ્ઞાબળથી તેનો અભાવ ગણવાનું ઠરે છે. અને લાંબી પણ એક જ તિથિ છતાં, સંજ્ઞાના બળથી, તેને બે ગણવાનું ઠરે છે. જેથી ટિપ્પણમાં તિથિનો અભાવ, તેથી એક તિથિ બે દિવસ લખાય છે. આ ઉપરથી એમપણ સમજવું યોગ્ય થઈ પડશે કે :૧) એક વારને બે તિથિ સ્પર્શે, તો એકેયનો ક્ષય ગણાતો નથી. કેમ કે બંનેય સૂર્યોદયને સ્પર્શતી હોય છે. એ જ પ્રમાણે, એ એક જ તિથિને માત્ર બે જ વાર સ્પર્શતા હોય તો પણ, વૃદ્ધિ ગણાતી નથી. કેમ કે સૂર્યોદય વખતે તો એક એક જ વાર સ્પર્શતો હોય છે. માટે, જે સૂર્યોદયને તે તિથિ સ્પર્શતી હોય, તે જ વારે તે તિથિ ગણાય છે. સૂર્યોદય પહેલાં પાછળનો વાર સમાન થતો હોય છે. આ માટે “ઉદયમેિ - જા તિહી. એ ગાથા તો સર્વ સામાન્ય રીતે ટિપ્પણા માટે સર્વ પર્વ કે અપર્વ તિથિઓ નક્કી કરવા માટેનો ઉત્સર્ગ નિયમ - મુખ્ય નિયમ - બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ એક વારને ત્રણ તિથિ સ્પર્શતી હોય, અને જેને સૂર્યોદય ન સ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખ ન થાય. કેમ કે ‘ઉદયમેિ જા તિહી.' એ ગાથા તો સર્વ સામાન્ય માટે - ટિપ્પણા માટે સર્વ તિથિઓ નક્કી કરવાનો ઉત્સર્ગ નિયમ - મુખ્ય નિયમ બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ ૧)એક વારને ત્રણ તિથિ સ્પર્શતી હોય અને જેને સૂર્યોદય ન સ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખ ન થાય. કેમ કે “ઉદયમેિ જા તિહી.' સૂત્ર તે વચલી તિથિને લાગુ પડી શકતું જ નથી. માટે તેનો અભાવ પરિભાષિત કરવો પડે છે. એ જ પ્રમાણે - એક તિથિને ત્રણ વાર સ્પર્શતા હોય, તેથી તેને બે સૂર્યોદય સ્પર્શે છે, માટે એક તિથિ બે વારમાં લખાય છે. તેથી પણ તે બે ગણાય છે, કેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001762
Book TitleParvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherVardhaman Jain Pedhi
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy