SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ. સૂર્યોદયથી કે તેની પહેલાંથી અને નવા સૂર્યોદય સુધી તે પર્વતિથિ નિમિત્તક કરાતી સર્વધર્મારાધનાતે પર્વતિથિની આરાધના સર્વમાન્ય રીતે પૂર્વકાળથી ગણાતી આવી છે, અને આજે પણ નિર્વિવાદ રીતે સૌ એ પ્રમાણે જ ગણે છે. ટિપ્પણામાં આઠમના ક્ષયે સૂર્યોદય વખતે સાતમ છતાં – ત્યારથી જ આઠમ હોય એમ માની આખા અહોરાત્રમાં તે જ પર્વદિવસને નામે કરાતી દરેક ધર્મ ક્રિયા તે જ પર્વ દિવસની ગણાય છે. એટલે તેનો ક્ષય – અભાવ રહેતો નથી. સદ્ભાવ આવે છે. તેથી જ પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરીમાં ગણાય છે. તથા પર્વતિથિનો ક્ષય બોલવો એ વ્યવહારથી પણ પૂર્વાચાર્ય ભગવંતોએ ઉચિત માનેલ ન હોય. એ જ પ્રમાણે - પર્વતિથિ ટિપ્પણામાં બે લખાઈ હોય, ત્યારે આ પ્રઘોષના બળથી અ. બીજી પર્વતિથિને આખી પર્વતિથિ માનવાની રહે છે. આ. અને તે ભલે, બે કે ત્રણ એમ ઓછી વસ્તી ઘડીની હોય, છતાં, ઈ. તેને સાઠ ઘડીની આખી ગણીને, ઈ. આખો દિવસ એટલે કે બીજા દિવસના સૂર્યોદય પહેલાં સુધીની ક્રિયા તેની જ ક્રિયા ગણાય છે. પૌષધ -પ્રતિક્રમણ - ઉપવાસ - દેવવંદન - વિગેરે જે કોઈ ક્રિયા તે પર્વતિથિ નિમિત્તક હોય, તે સર્વતેની જ ગણાય. અને પૂર્વાચાર્યભગવંતોને પણ એ પ્રમાણે સંમત હોય, એમ જણાય છે. જેથી આજે પણ સર્વમાન્ય રીતે એમ જ બોલાય છે, ને મનાય છે, ને કરાય છે. સવારમાં બીજી આઠમ કે બીજી ચૌદશ કે બીજી પૂનમ માત્ર બે ત્રણ ઘડી જ હોય, પછી તરત નોમ, પૂનમ કે એકમ બેસી જવા છતાં, પૌષધ - ઉપવાસ-પ્રતિક્રમણ વિગેરેનોમના, પૂનમના, કે એકમના ગણાતાં નથી, મનાતા નથી, કોઈ એ પ્રમાણે કદી કહેતા પણ નથી. વ્યવહાર કરતા પણ નથી. આ એક સર્વમાન્ય અને નિર્વિવાદ સિદ્ધ બાબત છે. ૧. એટલે કે સાતમના ભાગમાં તથા નોમના ભાગમાં પણ વાસ્તવિક રીતે તો ક્ષયે - પૂર્વાના બળથી એક જાતનો ગર્ભિત રીતે ઉપચાર પણ હોય છે. બન્ને બાજુ ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy