SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ - વાવ (૧) ૧૨ લોઅર ચિતપુર રોડ ર જે માળે રુમ નં. ૧૭ કલકત્તા ૧ લો શ્રા. શુ - ૧૧ - ૨૦૧૪ પરમ પૂજય ગણિવરજી મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી.... મહારાજ સાહેબની પરમ પવિત્ર સેવામાં ૧૦૦૮ વાર વંદણા અવધારવા કૃપા કરશોજી. મું. અમદાવાદ. વિ.વિ. બીજા શ્રાવણ સુદ પાંચમને દિવસે મને વિચાર કરતાં જે વાત સમજાઈ છે છે તેનું તારણ અને તત્ત્વો આ સાથે છે. યુગ પ્રધાન શ્રી શ્રી શ્રી કાલિકાચાર્ય મહારાજ શ્રીની આચરણાના પ્રમાણ ઉપર વિચાર આ સાથેના પત્ર પ્રમાણે કરીયે તો હરહાલતમાં મંગલવાર જ પ્રમાણ ભૂત ઠરે છે જે આપશ્રી સાથેની વિચારણા ઉપરથી બરાબર જોઈ શકશો. જો બાર તિથીની બાબતમાં ૧૯૯૨ પહેલાં હતા તે પ્રમાણે જવાનું નક્કી કરે અને તેમ કરવું હાલમાં યોગ્ય જ હોય તો તેની વિચારણા ભવિષ્ય ઉપર રહે, અને બાર તિથિમાં વઘ ઘટ કરવાનું સાબિત થાય તો આખો શ્રી સંઘ જે કરે તો તે વાત જુદી છે. પરંતુ આજે ઉપાધ્યાયજી મહારાજની માર્ગ બત્રીશીમાંના પ્રમાણો તથા ચૈત્યવંદન ભાષ્યમાંથી અસઢાઈક્સ' ગાથાની સંઘાચાર વૃત્તિમાંની બીજી પણ ત્રણ ચાર ગાથાઓ આપેલી છે. એમ ૭ – ૮ ગાથાઓના આધારે ૧૨ તિથિ (પવ) માં વઘધટ ન કરવાના પ્રમાણ છે. કેમકે ખોટી રીતે કે ખરી રીતે પૂર્વ પરંપરાથી ચાલી આવતી વસ્તુને એમને ફેરવવાનો કોઈને અધિકાર નથી અને સો દોઢસો વર્ષમાં એ ગડબડ થયેલી છે એમ કહેવામાં આવે તો ૧૫૦. - ૨૦૦ વર્ષ પહેલાના શાસ્ત્ર પ્રમાણ ન હોય પરંતુ શાસ્ત્રાભાસ હોય, તેમાંથી પણ ઐતિહાસિક પ્રમાણથી ૨૦૦ વર્ષો પહેલાં પણ બાર પર્વ તિથિની વધઘટ ન હોતી થતી એમ બતાવી દેવામાં આવે તો પછી કાંઈ પણ બોલવાનું રહેતું નથી. અને એવા પ્રમાણો મળી શકે તેમ છે તેથી હાલને તબક્કે ૧૨ પર્વ તિથિની બાબતમાં શાસન શાસ્ત્ર અને પરંપરાને વફાદાર રહેનાર નિરાગ્રહી આત્માર્થી જીવની ફરજ થઈ છે કે તે આચરણાનો ફેરફાર પાછો ખેંચવો જોઈએ, અજાણતાં ગમે તે કર્યું હોય પણ તેથી વિરાધક ભાવ પ્રાપ્ત થતો નથી પરંતુ, જાણ્યા પછી પ્રજ્ઞાપનીય જીવો ને વળગી રહેવાથી વિરાધક ભાવ થાય અને જો બાર તિથિની આચરણા પાછી ખેંચાય તો આપણે આખો સંઘ આ વખતે બુધવારે કરે અને પછી વિચારણા બાદ જે કરે તે સૌ નિખાલસ પણે કરે, પરંતુ મારી આ સાથેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy