SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ આચાર તરફનો ચતુર્વિધ સંઘ અને તેની પ્રત્યેક વ્યક્તિના આત્મામાં હ્દયમાં આદર ભક્તિ, તેનું પાલન કરવાની ઈચ્છા, વિધિની આવડત, નિશાળમાં ભણ્યા વિના અનુષ્ઠાનોના વિધિઓનો પરંપરાથી પ્રાપ્ત અનુભવ – રત્નત્રયી માટેની આંતરિક યોગ્યતાઓ વિગેરે ભાવ સંપત્તિઓ છે અને સ્થાવર જંગમ દ્રવ્ય સંપત્તિઓ છે, જેમાં પાંચ દ્રવ્યો સાત ક્ષેત્રો, બાર ધર્મ દ્રવ્યો, અને તેને લગતા નાના મોટા બીજા અનેક ખાતાઓનો સમાવેશ થાય છે. જેનો દ્રવ્ય ભાવ મિલ્કતોમાં ધર્મ સાધક અનેક પ્રકારના દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ સંબંધ અનુષ્ઠાનોનો સમાવેશ થાય છે. જેમાં ક્ષેત્રાશ્રીત ધર્મારાધન નિમિત્તો મહાતીર્થો - કલ્યાણક ભૂમિઓનો, તીર્થ રુપ બીજી ભૂમિઓ અને સ્થળો પર્વો મહાપર્વો કલ્યાણક દિવસો તથા બાર પર્વો વિગેરે કાળ નિમિત્તક ધર્મારાધનના પ્રતિકોનો સમાવેશ થાય છે. ઉપકરણાદિક રુપ દ્રવ્ય નિમિત્તક ધર્મોનો અને પ્રણિધાન આદિ જ્ઞાનાદિક રત્નત્રયીરુપ ભાવ નિમિત્તક ધર્મરુપ ભાવ સંપત્તિઓનો સમાવેશ થાય છે. (૪) આ પાંચ સ્તંભ ઉપર ધર્મ તંત્ર ઉભું છે જે મહાકલ્પ વૃક્ષ છે તેના એક પણ સ્તંભને ધક્કો લાગે તો પાંચેયને થોડો ઘણો લાગે જ છે. જેમ તેઓ પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે તેમ પરસ્પર મળેલા પણ છે. (૫) એકની મુખ્યતામાં બાકીના ચારની ગૌણતા હોય છે. એટલે બાકીના ચારેયનું નામ મુખ્યનું નામ આપી શકાય છે. એમ પચીસ પ્રકાર પડી જાય છે. દા.ત. ૧, શાશ્વત ધર્મને મુખ્ય રાખીએ તો દર્શનાચારમાં શાસન તીર્થ સંસ્થા સમાવેશ (ધમ્મતિત્વ) પામે છે. ચતુર્વિધ સંઘ આરાધક અંશમાં સમાવેશ પામે છે. શાસન જ્ઞાનાચારમાં સમાવેશ પામે છે. શાશ્વત ધર્મ પણ કહેવાય છે. (ઘમ્મો વજ્રઉ સાસઓ) સંપત્તિઓ પાંચે આચારમાં સમાવેશ પામે છે. તેથી બાકીના ચારેયને શાશ્વત ધર્મનું નામ આપી શકાય છે. ૨) એ જ રીતે શાસનની મુખ્યતામાં ઉપદેશ રુપ શાશ્વત ધર્મ સમાવેશ પામે છે. શ્રી સંઘ શાસનના સંચાલક અંગમાં સમાવેશ પામે છે. શ્રી આગમો શાસનનું માર્ગદર્શક નિયમાવલી રુપ અંગ બને છે. સંપત્તિઓ સર્વ પ્રકારના સંચાલન માટેની મુડી રુપ અંગ બને છે. તેથી બાકીના ચારેયને શાસન-તીર્થ કહી શકાય છે. ધમ્મ તિત્શયરે જિજ્ઞે’. એજ રીતે સર્વ સંભાળવાની જવાબદારી શ્રી સંઘની હોવાથી દરેકને શ્રી સંઘ નામ પણ આપી શકાય છે. કેમ કે ધર્મનું પાલન શ્રી સંઘમાં થાય છે. કરાવવામાં ૩) Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy