SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી પજ્યની વાત બંધ બેસતી આવતી નથી. બીજને બદલે હાલની જેમ એકમનો ક્ષય કરી ને કે એકમને બીજ માનીને પણ કામ લીધું હોત તો પણ ૧૧ થી પર્યુષણ શરૂ થાય. એ વાત બરાબર છે. આથી શ્રી પૂજયની વાત કરતા શ્રી ઝવેરસાગરજી મહારાજશ્રી ની વાત ઠીક બેસે છે. પરંતુ તેમની વાતમાંથી કલ્પસૂત્રની આરાધનાનો ખુલાશો મળતો નથી. એ ત્રુટી તેમાં સ્પષ્ટ જણાય છે. ત્યારે શ્રીપૂજ્યની વાતમાં ૨ (બીજ) ને બદલે તેરસનો ક્ષય કરવાની વાતની ચોખ્ખી ત્રુટિ દેખાય છે પરંતુ તેમની વાતમાં એક ગુણ દેખાય છે કે કલ્પસૂત્રની શ્રી પૂજ્ય આરાધનાના ઉપવાસની ચિંતા રાખે છે. પરંતુ સામાન્ય અનુભવ ઉપરથી એમ | માલુમ પડ્યું છે કે તિથિની બાબત ઘણી આંટી ઘૂંટી વાળી છે. એક સાચવવા જતાં બીજે વાંધો આવ્યા વિના રહેતો નથી. પછી કોઈપણ પક્ષ લ્યો. કોઈ વખત એવા સંજોગ ભીડાઈ જાય છે કે કોઈ પણ પક્ષ એક તરફથી યોગ્ય નિર્ણય કરી જ શક્તા નથી. એક તરફ વાઘ અને એકતરફ નદીની સ્થિતિ હોય. તેથી ગુંચવણમાં સમતોલ પણું ગુમાવી બેસે તો કાંતો નદીમાં ડૂબે ને કાંતો વાઘનો કોળીયો બની જાય અને બહુ કાબેલ હોય તો બન્ને પક્ષથી બચે. એટલે શ્રીપૂજ્ય કલ્પસૂત્રની ચીંતા કરવા જતાં બીજનો ક્ષય તો કરવો નથી તેનો ન કરતાં ઠેઠ ૧૩નો ક્ષય લાવી મૂકવાની ભૂલ કરે છે. એકમ એ કાંઈ જન્મનો નિયત દીવસ નથી. જે દિવસે જન્મ વાંચન તે દિવસે ઉત્સવ થાય. એકમને બીજમાની હોય તો અમાસે જન્મ વંચાત. ચઉદશ કલ્પની આરાધના થાત ત્યારે ચઉદશનિમિત્તક ઉપવાસ ક્યારે કરવો ? તે તેરસે આવત તે ઉદયતિથિ નહીં. ત્યાં તે વાંધો આવત. ત્યારે તેરસે શું કલ્પની આરાધના કરે એ પણ બંધ બેસતું ન આવે. આ ગુંચવણમાં શ્રી પૂજ્ય અટવાયા તે ૧૨ – ૧૩ ભેગા કરવા લલચાયા. બીજ પર્વનો કાયમ કરવાના વિચારમાં ઠેઠ ૧૩ સુધી આવી પહોંચ્યા, પરંતુ તિથિ બાબતની ગુંચ જ એવી છે કે ભલભલાના મગજ ગુંચવાય તેમ છે. કોઈપણ પક્ષમાં ક્યાંક વાંધો આવ્યા વિના રહે તો નહીં હોય. આ સ્થિતિમાં નિર્ણય કરવો એ ઘણું જ દુર્ઘટ કામ છે. જેમ શ્રીપૂજ્યના કામમાં દોષ છે. તેમ શ્રીઝવેર સાગરજી મહારાજ ના કામમાં પણ કલ્પસૂત્રની આરાધનાના ઉપવાસનો પ્રશ્ન અદ્ધર રહી જાય છે. ૧૮) હીર પ્રશ્નમાં પૂનમ તુટે તો તેનો તપ ક્યારે કરવો? આ પ્રશ્નના જવાબમાં ભૂલી ન જવાય તો તેરશ ચૌદશ તપ કરવો. પણ તેરશે તપ કોનો? પૂનમની તિથિ નિમિત્તક કે ચૌદશની તિથિ નિમિત્તક? જ્યારે પર્વતિથિ કાળ નિમિત્તક તત્ પ્રતિબદ્ધ આરાધના એક વિહિત વસ્તુ છે. તો તેરશે ચૌદશે કોનો કોનો તપ કરવો? એ સ્પષ્ટ કરવાનું રહેશે. ભૂલે તો એકમે એ કોઈ મહત્ત્વની બાબત નથી. એકમે પણ ભૂલી જાયતો બીજે કે જયારે યાદ આવે ત્યારે કરી આપે એ જુદી વાત છે. પણ ન ભૂલે તો તેરશ ચૌદશે કરવાની આજ્ઞા શું સમજીને? તે સ્પષ્ટ કરવું જોઈએ. વગરનિર્ણય મોઘમ કહેવાથી કાંઈ તત્વ સમજાય નહીં. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy