SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચીસ મુદ્દાને સંક્ષિપ્ત પ્રતિકાર. ૧૩૫ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથમાં “ક્ષયે પૂર્વના પાઠ પછી કયાણકની વાત છે આથી જે પૂર્વાનો નિયમ કલ્યાણકાદિ માટે નથી. મુ. ૨૦-પૂર્ણિમાએ ફરજીયાત ચતુષ્પવી પૈકીની પર્વતિથિ છે અને કલ્યાણક ફરજીયાત પર્વતિથિમાં નથી. આ રીતે કલ્યાણક અને પૂર્ણિમામાં વિશેષતા છે. સેનું અને લોટું ધાતુ છે માટે સરખા છે તેમ પૂનમ અને કલ્યાણતિથિ પર્વતિથિ પણાએ સમાન હોવા છતાં એક ફરજીયાત છે અને બીજી મરજીયાત છે તે ભેદ ન ભૂલવો જોઈએ. અહિં આપેલ પાઠ તો બન્નેનું પર્વતિથિપણુનું સામ્ય બતાવનાર છે. મુદો. ૨૧-બીજ વિગેરે પર્વતિથિએ આયુષ્ય બંધનું વિધાન પ્રાયિક છે. તેમજ પાંચ પર્વતિથિ સિવાય આયુષ્ય બંધ નથી એવું એક પણ શાસ્ત્રવચન નથી. પરભવના આયુષ્ય બાંધવા સંબંધી ફરમાન કરનાર જ્ઞાની પુરૂષો વખતે તિથિની કે પતિથિની વૃદ્ધિજ નહતી. આ મુદ્દાના સમર્થનમાં આપેલ તેમનો પાઠ પૂનમને ફરજીયાત પર્વપણાથી દૂર કરી શકતું નથી. આ પાઠ તો બીજ આદિ તિથિને ન માનનાર ઈતરગચ્છીઓને આયુષ્યબંધનું કારણ દર્શાવીને તે તિથિઓ પણ આરાધવા લાયક છે તે જણાવવા માટે છે. કારણકે શાસ્ત્રકારોએ બતાવેલ દરેક સ્પષ્ટ ફરમાનમાં હેતુ દર્શનની આવશ્યકતા નથી. સુદ્દો. ૨૨-પૂર્વકાળમાં જેનશાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરીને બીજાં લૌકિક પંચાંગ મનાતાં હતાં. મુદ્દો. ૨૩-જૈનશાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરીને ૬૦-૭૦ વર્ષથી ચંડાશુગંડુ પંચાંગ આજે મનાય છે. સંસ્કાર વિના માત્ર જ્યોતિષગણિત પ્રમાણેજ પર્વતિથિ માનવાની હોત તો સદ્યમિત્ર અને ક્ષે પૂર્વાવનાં કથને શાસ્ત્રકારને કરવાં પડતજ નહિ આ મુદ્દાના સમર્થનમાં રજુ કરાયેલ પાઠ તિથિ આદિના વ્યવહાર માટે લૈકિક ટિપ્પણાને ન માનતા હોય તેને ઉપાલંભ માટે બને પણ તેથી સંસ્કારવિના લૈકિક ટિપ્પણું લેવું તે સિદ્ધ થતું નથી. જે સંસ્કારવિનાજ ટિપ્પણું લેવામાં આવે તો ચિમાસી પ્રતિક્રમણમાં માસવૃદ્ધિ વખતે પંચપટું મારા વિગેરે જ જણાવવું પડે. મુદ્દો. ૨૪-પૂર્ણિમા, અમાવાસ્યા, અષ્ટમી અને ચતુર્દશી એ ફરજીયાત પર્વતિથિમાં પ્રધાન અપ્રધાનપણને ઉલ્લેખ વિના એકને પ્રધાન અપ્રધાન કેમ કહેવાય ? અર્થાત્ ચારે સમાન-ફરાત પર્વતિથિ ગણાય. ૧ હીર પ્રશ્ન પૃ. ૧૫ ૨ પ્રવચન સારે પૃ. ૧૩ ૩ આચારમય સમાચારી પૃ. ૧૮ ૪ સેન પ્રશ્ન પૃ. ૧૮-૧૯ ૫ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪ ૬ શાસ્ત્રાનુલક્ષી પરંપરા અને તેમણે પણ સં. ૧૯૯૨ સુધી પ્રધાન અપ્રધાન ભેદ પાડયો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy