SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મેં દર્શાવ્યું નથી; તે પણ તે (આઠમા હેતુ)નું અસિદ્ધપણું અમારી દર્શાવેલી દિશાએ મધ્યસ્થ પિતાની મેળે જ વિચારી લેવું જોઈએ. લેખના વિસ્તારના ભયથી વિરમવામાં આવે છે. નિર્ણયપત્રકની અપ્રમાણિકતાના હેતુઓ અહિં આ પણ નિર્દેશ કરવાનો છે કે, શ્રીવિજયદેવના મતપત્રકને અપ્રામાણિક ઠરાવવા માટે કપેલા મધ્યસ્થના અભીષ્ટ હેતુઓમાંથી બીજા અને છઠ્ઠા હેતુ સિવાયના બાકીના પાંચે હેતુઓ મધ્યસ્થના આ નિર્ણયપત્રમાં વિદ્યમાન હોવાથી તેનું જ અપ્રમાણિકપણું તે જ માગે પ્રાપ્ત થાય છે. તે દર્શાવવામાં આવે છે– જે ચારપત્રવાળા (ગ્રંથ-લેખ)નું પ્રામાણ્ય ન જ થાય તો અમુક પત્રવાળાનું જ પ્રામાણ્ય મધ્યસ્થ સ્વીકારવું જોઈએ. તેમાં નિર્ણય કરનાર પ્રમાણને અભાવ હોવાથી સળ-પત્રવાળાનું પણ પ્રામાણ્ય ઘટી શકે નહિ. “ચારપત્રવાળો હેવાથી એવા પહેલા હેતુ જે “સોળપત્રવાળે હેવાથી” એ પહેલો હેતુ આમાં વિદ્યમાન છે. તથા નિર્ણયપત્રના ૧૧ મા પૃષ્ઠમાં-“તે તિથિ વૃદ્ધ ગણાય કે જે બેવાર સૂર્યોદયને સ્પશે, એમ થતાં ઓદયિકી બે તિથિઓને સંભવ હોવાથી બે પક્ષોને સંભવ છે, બે પક્ષેને સંભવ હોવાથી તેમાંથી કઈ તિથિએ આરાધના કરવી જોઈએ? એવો સંદેહ ચિત્તને આકુલ કરે છે. એવા ઉલ્લેખ દ્વારા આરાધન કરવા યોગ્ય તિથિ સંબંધમાં સંદેહ પહેલાં કહ્યો; ત્યારપછી ત્યાં જ ૧૫ મા પૃષ્ઠમાં જ વૃદ્ધિ તિથિ બેવાર ઉદયને સ્પર્શ કરે છે; એથી કઈ તિથિ ઔદચિકી છે ? એવો સંદેહ થતાં એ વગેરે ઉલ્લેખવડે ઔદયિકી તિથિ સંબંધમાં સંદેહ કહ્યો; એથી એવી ઉક્તિ સ્પષ્ટ જ પૂર્વાપર-વિરૂદ્ધ છે. આ સંબંધમાં આ પ્રમાણે વિચારવું જોઈએ. “વૃદ્ધ તિથિ બે વાર ઉદયને સ્પર્શ કરે છે–એવા કથન વડે વૃદ્ધ તિથિ બંનેના ઔદયિકીપણાને નિશ્ચય થતાં તે જ તિથિમાં તેના જ ઔદચિકીપણાને નિશ્ચય, તે તિથિમાં તેના ઔદયિકીપણાના સંશયને પ્રતિબંધક હોવાથી તેવા પ્રકારના સંશયની ઉત્પત્તિ ન થઈ શકે, છતાં “કઈ ઔદયિકી તિથિ છે? એવી સદેહવાળી ઉક્તિ, મધ્યસ્થના જ સૂક્ષ્મ સંસ્કૃત અભ્યાસના અભાવને પ્રકાશિત કરે છે. એવી રીતે ક્ષીણ અષ્ટમી પર્વતિથિનાં સ્થળમાં “શ્રી જૈનસંઘ આરાધના માટે ઔદયિકી તિથિની અપેક્ષા રાખે છે. એ સિદ્ધાંત કર્યા પછી, પૂર્વ તિથિ સપ્તમીમાં ઔદયિકીપણું કરીને આરાધન કરવું જોઈએ.” એવી રીતે પહેલાં કહ્યા પછી પૂર્ણિમા પર્વતિથિના. ક્ષય-પ્રસંગમાં “યથારુચિ અનુષ્ઠાન કરવું જોઈએ.” એવી ઉક્તિથી સ્પષ્ટ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy