SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસુરિજી સ્વપણ સ્થાપના તિથિવૃદ્ધિ એટલે એકજ તિથિના બે અવયવો, એ વાતને ધ્યાનમાં લેવામાં આવે તે તેમનાથી એવું કહી શકાય જ નહિ. ૬૭ “તિથિદિન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના આ મુદ્દાઓ પૈકીને સાતમ આઠમો અને નવમે મુદ્દો નીચે મુજબ છે. (૭) "માસવૃદ્ધિ” અને “તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ? (૮) “વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ.”? (૯) જે નપુંસક તિથિ પિતાનું ફળ નિપજાવી શક્તાને પણ અસમર્થ હોય, તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફળને નિષ જાવી શકે કે નહિ ? ૬૮ સાતમા મુદાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે. શ્રી જૈનશાસ્ત્રોમાં અનેક તેમજ એજ ગ્રંથના એજ અધિકારના એજ પૃષ્ઠમાં જણાવ્યું છે કે यदाऽष्टम्यादितिथिः पतति तदाऽष्टम्यादिसम्बन्धिकृत्यं सप्तम्यामष्टमीति घिया क्रियते । જ્યારે અષ્ટમી આદિ તિથિ ક્ષય પામે ત્યારે અષ્ટમી આદિ સંબંધી કાર્ય ટીપણાની સમીમાં અષ્ટમીધારી-અષ્ટમી છે, એ બુદ્ધિથી કરાય છે. આ વાક્ય જે તેઓએ વિચાર્યું હોત તો ૭/૮ ૧૩/૪ ભેળા કહેવાની વાત છેડી દઈને શ્રી દેવસૂર સંઘ સમાચારી પ્રમાણે અષ્ટમીના ક્ષયે સપ્તમીને દિવસે અષ્ટમીજ છે એમ પ્રમાણિક રીતે માનવા તૈયાર થાત, અને જે તેમ કરવામાં આવે તો આખા વિવાદને નિર્ણય શ્રી દેવસૂર પક્ષેજમાવી જાય છે. વળી ખરતરગચ્છવાળાઓ તિથિના નાશને નામે પૂનમને દિવસે પકુખી કરવાને માટે (અનુષ્ઠાનને નાશ તિથિના નાશ થઈ જાય છે ) એમ માનવ મનાવા લાગ્યા હતા તેને અંગે તિથિને ક્ષય થયો એટલે તિથિને નાશ નથી, એમ શાસ્ત્રકાર તરફથી જણુંવાયું છે, તેને અર્થ તિથિને ક્ષય થતું નથી એમ કહેવાયજ નહિ છતાં જો એમ કહેવાય તે તત્ત્વતરંગિણુનું તિરિવાર વિગેરે પ્રકરણ નિરર્થક થઈ જાય. કારણ કે આખું પ્રકરણજ પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વ અપર્વતિથિને પર્વતિથિ તરીકે મનાવવા માટેનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy