SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, કારશ્રી કહે છે કે જે આ પ્રશ્નના ઉત્તરમાં તમે એમ કહેશે કે–એ પૂર્ણિમાનું અનુષ્ઠાન છે. તે પાક્ષિકના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ આવશે અને એમ કહેશે કે-એ પાક્ષિકનું અનુષ્ઠાન છે, તે પૂર્ણિમાને જ ચતુર્દશીપણે વ્યપદેશ કરવાના કારણે તે સ્પષ્ટ મૃષા ભાષણજ ગણાશે ૩૧ અહિં ખાસ ધ્યાન ખેંચનારી બીન એ છે કે-પૂર્ણિમાનું અનુષ્ઠાન કહે નારને માટે પાક્ષિકાનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી, પણ પાક્ષિકનું અનુષ્ઠાન કહેનારને પૂર્ણિમાના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી નહિ કારણ કે પાક્ષિકાનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનને સમાવેશ થઈ શકે છે અને શ્રી તપાગચ્છીય સમાજ પણ પૂર્ણિમાના ક્ષયે પાક્ષિકાનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનને સમાવેશ કરે છે. એ વાત ગ્રન્થકારશ્રીના ધ્યાનમાંજ હતી વળી પૂર્ણિમાનાજ ચતુર્દશી તરીકે વ્યપદેશ કર, એ સ્પષ્ટ મૃષાભાષણજ છે, એમ ગ્રન્થકારશ્રીએ કહ્યું છે પરંતુ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીની માફક જે તેઓ પૂર્ણિમાની વૃદ્ધિએ પ્રથમા પૂણિમાએ ચતુર્દશીને અને ચતુર્દશીએ બીજી બાદશીને વ્યપદેશ કરે ઈષ્ટ માનતા હોત, તે એમ કહેતજ નહિ. કારણકે એ સ્પષ્ટ મૃષાભાષણનું પિતાનું કથન પિતાને પણ લાગુ પડે તેમ છે. એ સમજવાને માટે પણ તેઓશ્રી પૂરતા સમર્થ હતા. ૩૨ પૂર્ણિમાનાજ ચતુર્દશી તરીકેના વ્યપદેશને સ્પષ્ટ મૃષાભાષણ તરીકેજ ઓળખાવ્યા બાદ, ગ્રન્થકારશ્રીએ ચતુર્દશીના ક્ષયે તેરસમાં “ચતુર્દશીનું જ્ઞાન આપ રૂપ નથી '-એ વસ્તુનું સમર્થન કર્યું છે અને એ પછી, બરતર ગછીયને કલ્યાણક તિથિઓના આરાધનને લગતા પ્રશ્ન મૂકીને તેને ઉત્તર આપે છે. ૩૩ ખરતરગચ્છીએ એવા ભાવને પ્રશ્ન કર્યો છે કે-પૂનમના ક્ષયે તમે ચૌદશે ચૌદશ અને પૂનમ કે બનેયનું આરાધન થવાનું કહે છે, ૧લે શું અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ કે તેથી પણ વધારે કલ્યાણક તિથિઓ પૈકીની બીજી ત્રીજી આદિ કલ્યાણક-તિથિનો ક્ષય આવે ત્યારે પણ તમે પૂનમના ક્ષયે ચૌદશે ચિદશ-પૂનમ બન્નેના આરાધનની જેમ ક્ષીણ કલ્યાણક તિથિ અને તેની પૂર્વી કલ્યાણક તિથિએ બેયનું ક્ષીણકલ્યાણક તિથિયુક્ત પૂર્વ કલ્યાણક તિથિયુક્ત આરાધન કરવાનું સ્વીકારે છે ? (૧૨) પરંતુ તમારે તેવી તિથિઓમાં પહેલાંની કે છેલાંની એટલે કે ૯-૧૦–૧૧ માંની નોમ કે અગીયારશ બેમાંથી કોઈ પણ તિથિ ક્ષય પામે ત્યારે આકાશજ દેખવું પડશે. (ખરતરગચ્છવાળાઓ કે શાસ્ત્રકાર પિતે પણ જે એક દિવસે બે તિથિ + અહિં “ ” આમાં મૂકેલા શબ્દો ભ્રમ ઉત્પન્ન કરવા માટે છે ગ્રંથકારે ચૌદશે ચદશ પૂનમ બેનું આરાધન કરવાનું કહ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy