SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, ૨૮ “પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે ?' એવા ખરતરગચ્છીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં. ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે પૂનમના ક્ષયે ચતુર્દશીમાં ચતુર્દશી અને પૂર્ણિમાએ બનેયનું વિદ્યમાનપણું હોવાના કારણે ચતુર્દશીમાં પૂર્ણિમાનું આરાધન પણ થઈ જ ગયું! ચૌદશે અમે જે પૂર્ણિમાનું આરાધન કરીએ છીએ, તે ચૌદશમાં પૂનમને આરેપ કરીને કરતા નથી. કારણ કે-પૂર્ણિમાને ક્ષય હોવાથી ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે. તમે તે ક્ષીણ ચતુર્દશીની આરાધના પૂર્ણિમામાં કરો છો તે પૂર્ણિમામાં ચતુર્દશીનું બુદ્ધિથી આપણુ કરીને કરે છે. કારણ કે પૂણિમામાં ચતુર્દશીના ભોગવટાની ગબ્ધને અભાવ હોવા છતાં પણ તમે પૂર્ણિમાને ચતુદેશીપણે સ્વીકાર કરે છે અને આપ એ તે મિથ્યાજ્ઞાન છે.' ર૯ તે વખતે શ્રી તપાગચ્છીય સમાજ જે પૂનમના ક્ષયે તેરસે ચૌદશ માન વાની અને પૂનમની વૃદ્ધિએ પહેલી પૂનમે ચૌદશ માનવાની આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી કહે છે. તેવી હેરફેરી કરતે હેત તે ગ્રન્થકારશ્રી આ ઉત્તર આપી શક્ત જ નહિ કારણકે-પહેલી પૂનમમાં ચતુર્દશીના ભગવટાની ગંધ સરખી પણ હોય નહિ એ દેખીતી વાત છે અને ચોદશ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોવા છતાં પણ ચૌદશનું તેરશે આરોપણ કરતા હતા તે અહિં ઉદયતિથિ ચૌદશની વિરાધનાનો પ્રશ્ન પણ ઉદ્દભવ્યા વિના રહેતજ નહિ. ગ્રન્થકારશ્રી કમથી કમ, એ પ્રશ્નને પિતાને અભિમત એવો ખુલાસો આપવાને માટે પણ ઉદયતિથિ ચૌદશને છોડીને તેરશે તેનું આરોષણ થાય કે નહિ?— એ પ્રશ્ન ઉભું કરતજ. અહિં તો તે પ્રશ્ન ઉભું કરવામાં આવ્યો નથી અને પૂર્ણિમાએ ચૌદશના ભેગની ગબ્ધ નહિ હોવાના કારણને જણાવીને ગ્રન્થકારશ્રીએ ખરતર ગચ્છીયને આરોપ કરીને આરાધના કરનારે ઠરાવી તેના આરોપને મિથ્યાજ્ઞાન તરીકે જણાવેલ છે. ૩૦ હવે આગળ ચાલતાં ગ્રન્થકારશ્રી ખરતર ગચ્છીયને ઉદ્દેશીને એવા ભાવનો પ્રશ્ન કરે છે કે- ક્ષીણ પાક્ષિકના અનુષ્ઠાનને પૂર્ણિમાનાં આચરતાં તે અનુષ્ઠાનને તમે પાક્ષિકનું અનુષ્ઠાન કહેશે કે પૂર્ણિમાનું અનુષ્ઠાન કહેશે ? આ પ્રશ્ન કરીને ગ્રન્થ (આગળ આગળની તિથિ પાછળ પાછળની તિથિમાં વિદ્યમાન હોવાથી તે તે એક તિથિપણે અમે માની શકીએ છીએ, તેથી અમને કઈ પણ પ્રકારે અનિષ્ટ નથી.) * આ. રામચંદ્રસૂરિજીએ પોતાના આપેલા વચૈવ ના પાઠ ભાવ સંસ્કૃત શબ્દ સાથે સંબંધ ધરાવતા જે શબ્દો છે તેને “પૈકા' ટાઈપમાં આપ્યા છે. તે દરેક ઉપર ૧૧૫ સુધીના અંક આપ્યા છે બાકીનું લખાણ તેમનું સ્વતંત્ર છે. તે વિદ્વાન વાંચક મૂળ પાઠ સાથે સરખાવશે તો આપોઆપ ખ્યાલ આવશે કે આ. રામચંદ્રસૂરિજીએ પાઠ અને પૂર્વગ્રંથના નામે પિતાને મનગમતું કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy