SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્ય અપરાહ્ન વ્યાપ્તિવાળી, કેટલીક તિથિએ પ્રદોષ વ્યાપ્તિવાળી અને કેટલીક તિથિએ નિશીથ (મધ્યરાત્રિ)ની વ્યાપ્તિવાળી લેવામાં આવે છે, પરંતુ જૈનદર્શનમાં સર્વતિથિએ કે પર્વતિથિઓ માત્ર ઉદયની વ્યાપ્તિવાળી જ લેવાય છે, કારણકે—જેનદર્શનમાં પર્વતિથિઓની આરાધના ઉપવાસ, આયંબિલ અને પૌષધ વિગેરે વતનિયમોની અપેક્ષા હોય છે. અને તે દરેક વ્રત નિયમેની શરૂઆત સૂર્યને ઉદયકાળથી થાય છે, અને સમાપ્તિ પરતિથિના ઉદયકાળે થાય છે. એટલે જેનશાસનના પર્વે સૂર્યના ઉદયને સ્પર્શનારી તિથિને આધારેજ હોય છે. જૈન ગણિતમાં પણ સૂર્યોદયને નહિં સ્પર્શનારી તિથિ અંશ જેટલી હોય તોપણ તે ક્ષીણ અને પતિત તિથિ ગણાય છે અને માત્ર ૨ અંશ તિથિ પણ જે સૂર્યોદયને સ્પર્શનારી હેય તો તે આખો દિવસ તે તિથિજ ગણાય છે. તેમજ ૩૩ શ્રીવિચારસારપ્રકરણ અને ૩૪શ્રીવિધિકૌમુદી વિગેરે ગ્રન્થ પણ ઉદયવાળી તિથિમાંજ પર્વને લાયકનાં પચ્ચખાણ વિગેરે કરવાનું જણાવે છે. આરાધનામાં ઉદયવાળી તિથિ લેવી તે વિષે કઈ પણ જાતને મતભેદ નથી. પરંતુ ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તે ઉદયવાળી તિથિના ઉત્સર્ગમાર્ગને બાધ કરનારાં અપવાદવા પણ જૈનશાસ્ત્રોમાં સ્થાને સ્થાને કહાં છે. શાસકારોને સામાન્ય નિયમ છે કે પૂર્વ સાવવા નિવિરાજો પુત્રી: એટલે કે અપવાદિક વિધાનની પ્રવૃત્તિ પહેલી કરી લેવી જોઈએ. અને જ્યાં અપવાદિક પ્રવૃત્તિને પ્રસંગ ન હોય ત્યાં જ ઉત્સર્ગની પ્રવૃત્તિ કરાય. એ નિયમથી પર્વતિથિના ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે તે ઉદયના ઉત્સર્ગ માર્ગને કેઈપણ પ્રકારે લાગુ કરી શકાય નહિં, પરંતુ શાસ્ત્રકારોએ જણાવેલે અપવાદજ લાગુ કરાય. તે અપવાદ એ છે કે “અરવિન્દ્ર અવરાવિ ” અર્થાત્ ક્ષીણુપર્વતિથિથી વિધાયેલી પર્વતિથિને પણ લેવી. વળી શ્રીતત્ત્વતરંગિણકાર પર્વતિથિના ક્ષયની વખતે પ્રાયશ્ચિત્તાદિ અથ–આઠમ અને ચૌદશમાં જે ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત, માસીએ છઠ્ઠ ન કરે તથા સંવત્સરીએ અઠ્ઠમ ન કરે તે પ્રાયશ્ચિત્ત. રૂ૩–૨૪ શ્રીવિવારસાઈ અને શ્રીવિધિૌમુત્રી માટે અનુક્રમે, વિચારસાર પાઠ નં. ૨૨ અને શ્રાદ્ધવિધિ પાઠ નં. ૨૩ જુઓ. રૂપ-ર૬ થીરવતળિ માટે તવા પાઠ નં. ૧૩ જુઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy