SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મેકલી આપવાનું હતું. તે મેકલવાનું કાર્ય શેઠશ્રી કસ્તુરભાઈએ તા. પ-૭-૪૩ ના રોજ કરેલ છે એટલે તા. ૫-૭–૪૩ ના રોજ આ નિર્ણય પ્રગટ થયે. પૂર આચાર્ય મશ્રી સાગરાનંદસૂરિજી મહારાજે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને તટસ્થભંગના કારણે તિથિનિર્ણય આવ્યા અગાઉ તેને નહિં સ્વીકારવાનું જણાવ્યું હતું અને તેનાં કારણે આપ્યાં હતાં. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે “પેપરમાં આવતા સમાચાર” અને આચાર્ય રામચંદ્રસૂરિ પક્ષના “તાર-ટપાલ વ્યવહાર વિગેરેથી “તટસ્થ તટસ્થપણું સાચવી શક્યા નથી” તેવા નિર્ણય ઉપર આવ્યા અને નિર્ણય નહિં માનવાને નિર્ધાર કરી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને નિર્ણય નહિં માનવાને તા. ૧૪-૬-૪૩ ના રેજ તાર કર્યો. (આ નિર્ણય ઉપર આવતા અગાઉ સારા સારા શાણા માણસોએ તેને બેટે પ્રચાર જાણી ઉવેખવાનું જણાવ્યું હતું. પરંતુ નિર્ણય ગમે તે પક્ષને હોય તો પણ જે નિર્ણયકાર ગંભીર કે તટસ્થ નથી. તેને નિર્ણય માન્ય ન ગણ જોઈએ તે દઢ નિશ્ચય પૂ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ કર્યો.) નિર્ણય નહિ સ્વીકારવા માટે શેઠશ્રી કસ્તુરભાઈને ૧૪-૬-૪૩ ના રોજ કરેલ તાર, શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાનકેરનાકા અમદાવાદ, પિપરના લખાણો અને તે પક્ષના મનુષ્યના કથનથી વૈદ્ય તટસ્થપણું રાખી શક્યા નથી, એમ ચોક્કસ થાય છે, માટે તેમનું લખાણ માન્ય નથી.” આ તારના સમર્થનમાં પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજીએ શેઠ શ્રી કસ્તુર ભાઈને નિર્ણય નહિ માનવાની સ્પષ્ટતા માટે નીચેના પત્ર લખ્યા હતા. (૧). કપડવંજ, તા. ૨૦-૬-૪૩ રવિવાર. આનંદસાગર દેવગુરૂ ભક્તિકારક સુ. શ્રાવક કરતુરભાઈ લાલભાઈ ગ્ય ધર્મલાભ પૂર્વક લખવાનું -તમેને ૧૪-૬-૪૩ શે નીચે પ્રમાણે તાર કર્યો હતે “શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાનકાર નાકા અમદાવાદ, “પેપરના લખાણો અને તે પક્ષના મનુષ્યોના કથનથી વૈદ્ય તટસ્થપણું રાખી શકયા નથી એમ ચોક્કસ થાય છે, માટે તેમનું લખાણ માન્ય નથી.” આનંદસાગર તેના ઉત્તરમાં તમારી તરફથી નીચે મુજબ ઉત્તર આવ્યો કે “આપને તાર મળે હું તાત્પર્ય સમજી શક્યો નથી.” આને ઉત્તરમાં જણાવવાનું કે તમારી રજા, જાહેરાત કે સંમતિ સિવાય પેપર ટેલીગ્રાફ અને જોખમદાર તે પક્ષના નેતા ગૃહસ્થ અને ત્યાગી તરફના જે લખાણ વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy