SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજનગરથી ૨૦૦૦ ના કાર્તિક સુદ ચૌદશ પુનાનગર મળે પરશુરામ અધ્યાપક પ્રતિ ધર્મલાભ પૂર્વક આનંદસાગર લખે છે કે-આજ સુધી તમે પત્ર મોકલવા સબંધી તટસ્થતા ભંગનું કલંક (જે તમારે માથે આવ્યું છે તે) ઉતારવા માટે (તમારા) પત્રમાં (તમે) સૂચવ્યા પ્રમાણે કોર્ટમાં જવાનું કેમ કર્યું નથી? (ખરેખર) એ આશ્ચર્ય છે. વળી હમણાં બીજી ઉષણું સ્પષ્ટ રીતે કરાય છે કે–મુખ્યતાએ તે (નિગમન) પત્ર ધર્મથી દૂર રહેલા કેઈક નવા રામમતને અનુસરનારાએ ગુજરાતીમાં લખો (હો) અને તેવાજ કેઇકે તેનું સંસ્કૃત કર્યું હતું. તમેએ તો માત્ર તેવા થઈને માત્ર સહીજ કરેલી છે. જે આ (કથન) તમને કલંકરૂપ લાગતું હોય તે તમારી જાતની શુદ્ધિ માટે જલદી કેટને આશ્રય લ્યા: (એટલે બેશક શાન્તિઃ ) ૧ તમે (શેઠ કસ્તુરભાઈએ નક્કી કરેલા) મુસદ્દાના પત્રને (તે પત્રમાં) લીધે નથી. ૨ પત્ર મોકલવાને જે નિયમ, તે પણ તમે સાચવ્યો નથી. ૩ નિર્ણય માટે (બન્ને પક્ષે ) કાઢેલા મુસદ્દાઓનું (મુક્લ) અવલંબન લીધું નથી. (એટલે મુદ્દાઓ પ્રમાણે ચર્ચા કરી જ નથી.) ક (તે પત્રમાં) બન્ને પક્ષની (મુદ્દાસર ) ચર્ચા કરી નથી (આખા પત્રમાં રામચંદ્રસૂરિએ માનેલો અર્થ કે તેના પુરાવા રૂપ શાસ્ત્ર કે વ્યવહાર એ ચર્ચા જ નથી ) ૫ શાસ્ત્ર અને પ્રમાણે (જેને આધારે તિથિ કહેવાને અને માનવાનો નિર્ણય કરવાનું હતું તે બધાને શાસ્ત્રાભાસ અને પ્રમાણભાસ કહી દઈને ઉડાવી નાંખ્યાં છે. ૬ અજ્ઞાન મનુષ્યને ઉચિત એવા અપશબ્દોને પ્રયોગો તે પત્રમાં લખવામાં આવ્યા છે. આ બધી વસ્તુ તે પત્રમાં પહેલાં જેજે. આનન્દસાગર આ પત્ર પછી કઈ પણ શુદ્ધ માણસ કોટે ગયા વિના નજ રહે. પરંતુ ડો. પી. એલ. વૈદ્ય કેટે ન ગયા. એટલું જ નહિં પણ પૂર્વે પૂજ્ય આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. ને કેટે જવાની ધમકી આપી હતી તે વિસરી જઈ જેમને અન્યાય થયો હોય તે કેટે જઈ શકે છે તે જણાવતું એક ઇંગ્લીશમાં નિવેદન બહાર પાડ્યું જેને અનુવાદ નીચે મુજબ છે. નિવેદનને અનુવાદ. કેટલીક લાગતી વળગતી વ્યક્તિઓ તરફથી તિથિચર્ચાના પ્રશ્નને અંગે મહું આપેલા ફેસલા વિરૂદ્ધમાં ગુજરાતી પત્રમાં તથા હેન્ડબીલમાં ચર્ચા અને પ્રોપેગડા કરવામાં આવે છે. તે ઉપર મારું ધ્યાન ખેંચાયું છે. આવી પ્રોપેગડાની કંઈ પણ નોંધ લેવી એ લવાદ તરીકે મારું કામ નથી. તેમજ જે પક્ષ વિરૂદ્ધ આ ચુકાદ અપાયો છે તે પક્ષનું પણ મને આવું સાહિત્ય અંગત રીતે સંબોધવું તે યોગ્ય નથી. જે પ વિરુદ્ધ ચુકાદે અપાય છે તે પક્ષે મારા સામે આરબીરામે એકટની કલમ ૩૦ (એ) પ્રમાણે કામ લેવું જોઈએ. કે જેથી લવાદ તરીકેની મારી ગેરવર્તણુંકની તથા લવાદીનું કામ ચલાવવામાં જે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy