SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) આમ બધુ હોવા છતાં નિર્ણય પ્રગટ થયો અને જનતાના વાંચવામાં આવ્યું એટલે તેની અંદરનું લખાણ જેમ જેમ બારીકાઈથી તપાસવામાં આવ્યું તેમ તેમ તે નિર્ણય મધ્યસ્થતા સાચવીને અપાયું છે કે બીજી રીતે તે બાબત ઘણે ઉહાપોહ થયે અને જે હજુપણુ શમ્યો નથી. એ નિર્ણયની તરફેણમાં અથવા વિરૂદ્ધમાં આ સ્થળે વિશેષ કાંઈ જણાવવાની જરૂર નથી. છતાં નિર્ણયના સુજ્ઞ વાચકોનું કહેવું છે તે મુજબ અને વાસ્તવિક રીતે પણ મધ્યસ્થ મહાશયે ક૯પેલા નવ વિવાદ પદે પૈકી ૧-૨-૩ અને ૪ વિવાદ પદેને અવકાશ મુસદ્દાને અનુસરી પક્ષ કે પ્રતિપક્ષમાં કોઈપણ પ્રકારને જોવામાં આવતો નથી. એટલે કે મજકુર વિવાદપદે સંબંધી અને પક્ષોની વચ્ચે કાંઈ મતભેદ નથી) છતાં તે કેમ ઉઠાવવામાં આવ્યાં છે એ સમજાતું નથી. વાચક મુખ્ય ઉમાસ્વાતિજીના પ્રૉષ તરીકે પ્રસિદ્ધ વચનરૂપ શાસ્ત્ર પક્ષ અને પ્રતિપક્ષ બને એ સ્વીકારેલું છે જ તેથી તે સંબંધમાં પણ ચોક્કસ વિવાદપદ-મુદ્દો કાઢવાની જરૂર નથી. મધ્યસ્થ મહાશય એક બે સ્થળે જણાવે છે કે-લોકના પ્રથમ ચરણનું પ્રામાણ્ય આ. શ્રી સાગરાનંદસૂરિજી સ્વીકારે છે, અને બીજા ચરણ માટે સંશય દર્શાવે છે. શ્રી સાગરાનંદસૂરિજી તરફનું તમામ લખાણ જોતાં આ પ્રકારને સંશય તે કેઈપણ ઠેકાણે જણાતું નથી ઉલટું બને ચરણે પિતાને કબુલ છે એમ સાફ સાફ જણાય છે. કારણકે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી તરફથી બને ચરણેને આધુનિક ચર્ચા માટે નવમા મુદ્દામાં માન્ય રખાયેલ છે અને તેનું સ્પષ્ટીકરણ કરેલ છે. આથી તે બાબતમાં વિવાદાસ્પદ કાઢવાની કઈ પ્રકારની જરૂર ન હતી. ૩ આ ઉપરાંત નિર્ણયમાં હાલમાં. (અ) ચાલુ પ્રણાલિકા કઈ છે અને તે કેટલા વખતથી ચાલી આવે છે, અને તે પ્રણાલિકાને સંગત થાય તે મુજબ શાસ્ત્રોના અર્થો થઈ શકે તેમ નથી તેવું ખાસ વિવાદપદ ઉભું કરી પુરાવાને બેજે ચાલુ પ્રણાલિકાથી વિરૂદ્ધ વર્તન કરનાર પર રાખવો જોઈતો હતે. (એટલે ચાલુ પ્રણાલિકાથી વિરૂદ્ધ નવી પ્રણાલિકા રજુ કરનાર આ. વિજય રામચંદ્રસૂરિજી છે. અને હરહંમેશ નવી પ્રણાલિકા રજુ કરનારે પ્રાચીન પ્રણાલિકા શાસ્ત્રસિદ્ધ નથી તે પુરાવા સાથે બતાવવું જોઈએ અને તેની સાથે નવીન પ્રણાલિકા શાસ્ત્રસિદ્ધ છે તે સાબીત કરવું જોઈએ. તેમ ન કરતાં જુદી જ રીત અંગીકાર કરવામાં આવી છે.) (બ) જીતવ્યવહાર પ્રવર્તક આચાર્ય યુગપ્રધાન હતા તેવું.નિર્ણયમાં સ્વીકાર્યા છતાં તેમની પરંપરાના અવ્યાજબીપણાના કેઈપણ આધાર કે પુરાવા આપ્યા વિના તે પરંપરાને ઉડાવી તે વ્યાજબી નથી. છતવ્યવહારના પ્રવર્તક યુગપ્રધાન હતા પણ તેના પ્રામાણ્ય માટે જોઈતા બીજા ત્રણ અંશે સિદ્ધ થતાં નથી તેથી તે વ્યવહારપરંપરા અસિદ્ધ જ રહે છે એટલું મોઘમ જણાવી જીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy