SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનનો અવસર સૂર્યોદયાનુસારે છે અને તેથીજ IT, Tu એ બે પદ (પ્રત્યાખ્યાનના આલાવાના) સમજવાથી વધુ સ્પષ્ટ થાય તેમ છે, પરંતુ અષ્ટમીના ક્ષયે અષ્ટમીને નિર્ણય કર્યો પછી જ પ્રત્યાખ્યાનની ધારણા અને ગ્રહણના પ્રશ્નને અવકાશ રહે છે. વૈદ્ય–ઉભય ટંક ષડાવશ્યક કરે છે તેમાં પ્રત્યાખ્યાનની વ્યવસ્થા શી રીતે કરે છે? - પૂજ્ય–સૂર્યોદય પૂર્વે અને સૂર્યોદય પછી પણ પ્રત્યાખ્યાનની ધારણા ગ્રહણ કરાય છે. રાત્રિ સમાપ્ત થવાની તૈયારીમાં જે પ્રતિક્રમણ કરે છે તે પ્રાય: સૂર્યોદય પહેલાં પ્રત્યાખ્યાન(પચ્ચખાણ) ધાયું હોય તો ધાર્યું છે એમ કરે છે અને કર્યું હોય તે કર્યું છે એમ કહે છે. વૈદ્ય–પ્રતિકમણ અવસરે પછી તે દિવસ સંબંધી કે રાત્રિ સંબંધીનું હોય તે પણ પ્રત્યાખ્યાન અવસરે તે તિથિનો નિર્દેશ કરજ જોઈએને ! કારણકે તિથિ નિર્દેશ વગર પ્રત્યાખ્યાન શી રીતે કરે? પૂજ્ય–પ્રતિક્રમણ અવસરે પ્રત્યાખ્યાન ધારનારા અને કરનારાઓ તિથિ નિર્દશના નિર્ણયપૂર્વકજ પ્રત્યાખ્યાન ધારે છે અને ગ્રહણ કરે છે. વૈદ્ય –ત્યારે તે પ્રત્યાખ્યાનારંભે તિથિનિશ્ચય થઈ ગયેલો હોય છે ને? પૂજ્ય--હી. વૈદ્ય–આ પ્રસંગે એટલું સમજવું જરૂરી છે કે પ્રત્યાખ્યાન પ્રતિદિન કરાય છે. તે સર્વ તિથિ માટે પણ તિથિનિર્દેશ જરૂરી છે કે નહિ ? રામવિ૦–વૃદ્ધિક્ષયપ્રસંગ બધી તિથિઓ માટે જરૂરી છે. પૂજ્ય--નહિં, પર્વ માટેજ તિથિના નિર્ણયની જરૂર છે. વૈદ્ય--તિથિને નિર્ણય બધાને જરૂરને ખરો કે નહિ? રામવિ–સાધુઓને અતિથિ કહેલા છે, અને શ્રાદ્ધવિધિગ્રંથ પ્રથમ તેઓશ્રી જણાવી ગયા તે પણ શ્રાવકને ઉદ્દેશીનેજ છે. - પૂજ્ય–શ્રાદ્ધવિધિમાં પ્રથમ દિનકૃત્ય પછી રાત્રિકૃત્ય જણાવી પછી પર્વકત્યમાં પરાધન અને પરાધનની તિથિઓના નિર્ણય જણાવ્યા. હવે જે પવરાધન તિથિસાથે સાધુઓને સંબંધ હોય તે વિરોધને અવકાશ નથી. વિ. જે રીતિએ રામવિ. સાધુઓને અતિથિ કહે છે તે સમજ વિનાનું છે. પરાધન તે સાધુએને પણ કરવાનું છે. વૈદ્ય—પ્રૉષ બધા સ્વીકારે છે? પૂજ્ય—હા, પરંતુ અર્થ જે રીતિએ કરે જોઈએ તે રીતિએ કરતા નથી. વૈદ્ય-પ્રતિષ્ઠાને દિવસ હોય અને પ્રતિમા પધરાવવી હોય, દરેક વર્ષે પ્રતિમાજીની વર્ષગાંઠ આવતી હોય, સંઘયાત્રાદિનું પ્રયાણ કરવું હોય, વિહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy