SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણેની પ્રવૃત્તિ ચાલુ હોવી જોઇએ અને તેને અનુસરતાજ નિયમ રચાયા હોવા જોઈએ. ૬ ઉપર જણાવ્યું તેમ હોવા ઉપરાંત પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગમાં વ્યવસ્થા કરનાર પ્રણાલિકા બાબતમાં ઓછામાં ઓછા છેલ્લા પચેતેર વર્ષ (હાલ હયાત પુરૂષ કે સ્ત્રીની વય ધ્યાનમાં લેતાં) થયાં છે તે અમલ એકજ રીતે તે આપણે જોઈ રહેલા છીએ. તો હવે તે મુજબ થતી આરાધનાની એકતામાં બીજે ફેરફાર સુચવી ભંગાણું પાડવાથી કશે પણ અર્થ સરતો નથી એટલું જ નહિ પણ અનર્થ પરંપરા વધ્યા કરે છે અને શ્રી સંઘમાં એકદીલીને બદલે બેદીલી થાય છે. જ્યારે બીજે કઈ પણ વિશેષ લાભ મળે તેમ નથી તે સંઘની એકતાને જોખમમાં નાખવા જેવું કંઈપણ કૃત્ય કરવું તે વ્યાજબી ગ્ય કે ડહાપણ ભરેલું નથી. (૧) શુષ્ક સત્યને વળગી રહેનાર કેઈપણ મહાશયને એ પણ પ્રમાણિકપણે મત હોય કે પિતે પિતાની દ્રષ્ટિએ માનેલ સાચે અર્થ સંઘની એકતાને જોખમે પણ અમલમાં મુકાજ જોઈએ અને ચાલુ પ્રણાલિકામાં તેથી ફેરફાર થવો જ જોઈએ. પરંતુ આ પ્રમાણે વિચાર આવે તે વખતેજ તેણે પૂર્વ પુરૂષ સિધુરથી લઘુતા ભાવવી એ પદ યાદ કરી પૂર્વે થઈ ગયેલા આચાર્યો અને મહાપુરૂષોએ જે આચરણ ચાલવા દીધી છે તે સકારણે હોવી જોઈએ એ પ્રમાણે વિચારી આચારણાને માન્ય રાખવી જોઈએ. કઈ પણ કારણે તેવી માન્યતા કદાચ ન થઈ શકે તે પોતે માનેલે અર્થ સે ટકા સાચો જ છે એ આગ્રહ ન રાખતાં વિદ્વાન આચાર્યો અને બીજા બુદ્ધિમાન મહાશાની સાથે પિતાથી કરાતા અર્થમાં કાંઈ દોષ છે કે નહિ તે જાણવા ખાતર મિત્રભાવે પુરેપુરી ચર્ચા કરી લેવી જોઈએ અને તે ચર્ચાને અંતે જે અર્થ યોગ્ય જણાય તેને તેણે સ્વીકાર કરવો જોઈએ. આમ છતાં પણ કોઈ પ્રકારે તેવી માન્યતા કદાચ ન થઈ શકે તો પિતાનું જ્ઞાન છઘસ્થિક હોવાથી પિતે માનેલ અર્થ સે ટકા સાચેજ છે એવો આગ્રહ પિતાના મનમાં ન રાખવો જોઈએ. (૨) આ ચર્ચા અને વિચારણા કર્યા બાદ પણ ચાલુ પ્રણાલિકાને અર્થ ટેજ લાગે અને પોતાની માન્યતાને અર્થ નિઃશંક અને પ્રામાણિક પણે ખ લાગે તે પણ જ્યાં સુધી તે લગભગ સાર્વજનિક માન્યતાવાળો ન થાય ત્યાં સુધી તેને માટે એગ્ય પ્રચારજ કરે જોઈએ અને જનતાને ગ્રાહ્ય થાય તે મુજબનાં શ્રી સંઘની એકતામાં ખલેલ ન પડે તે હેતુથી પગલાં લેવાં જોઈએ, પણ એકદમ તેને જનતાને અમલમાં મુકવાનું ફરમાન કરી દઈ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy