SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અમારે અભિપ્રાય. (૧) (૧) આચાર્યશ્રી વિરામચંદ્રસૂરિ અને તેમના વિચારોને અનુસરનાર બીજા કેટલાક આચાર્યોએ ક્ષીણ તથા વૃદ્ધા પર્વતિથિના સંબંધમાં ચાલુ પ્રણાલિકાથી ભિન્ન રીતિ કેટલાક વર્ષથી અંગીકાર કરેલ હોવાથી તેમજ તે વિચારની વિરૂદ્ધમાં અને ચાલુ પ્રણાલિકાની તરફેણમાં બીજા ઘણા આચાર્યોનું મંતવ્ય હોવાથી હાલમાં કેટલાક વર્ષોથી એ સંબંધમાં શ્રી દેવસુર તપાગચ્છના સાધુ વર્ગમાં પર્વવ્યપદેશ, પર્વ આરાધન અને પર્વ પરિસંખ્યાનમાં ઘણે મતભેદ પડ છે. અને તેને લીધે તે તે આચાર્યોના અનુયાયી ગૃહસ્થ વર્ગમાં અનેક પ્રકારની અનિછનીય પ્રવૃત્તિ ચાલી રહી છે. - (૨) શ્રી દેવસુર તપાગચ્છમાં આ મતફેરી નીકળી તે પહેલાં જે શક્ય અને શાંતિ જોવામાં આવતાં હતાં તે આજે દુર્લભ થઈ ગયેલ છે. જેના પરિ. ણામે શ્રીસંઘના સભ્યની આધ્યાત્મિક તથા વ્યવહારિક ધાર્મિક ભાવનામાં શિથિલતા આવી છે તે આજે આપણે નજરે જોઈએ છીએ. (૩) આથી આજે ઉપશમભાવ રાખે તો દૂર રહ્યો પણ તેના બદલામાં પક્ષાપક્ષીનું સામર્થ્ય વિશેષ ફેલાઈ પોતપોતાના પક્ષને આડંબર વિશેષ બતાવવા અને સામા પક્ષને ઉતારી પાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થવા લાગી છે. પરિણામે કષાયભાવને ઉદ્રક ધાર્મિક બાબતમાં પરિણમતો હોવાથી અનેક જનેને જે ધાર્મિક બાબત સંવરના કારણરૂપ છે તે કર્મબંધના કારણરૂપ થઈ પડે છે. આ સ્થિતિ ખરેખર અત્યંત દુઃખદાયક છે. (૪) અમને તો ખરેખર જાણીને આશ્ચર્ય થાય છે કે શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિ જેવી માન્યવંત પૂજ્ય આચાર્યને કેટલા વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકાની વિરૂદ્ધ આચરણું કરવાનો અને પ્રરૂપવાનો વિચાર કેમ થયે? અમને તો આ સંબધમાં સમાજની કમનસીબી જ સમજાય છે. જેને સમાજમાં પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે વ્યવસ્થા કરવાની ચાલતી આ પ્રણાલિકા આજ કાલની નથી પણ ઘણી જુની છે, કારણકે સં. ૧૬૬૫ માં લખાયેલ ઉસૂત્ર ખંડન વિગેરેમાં આ પ્રણાલિકાનું સમર્થન હોવાથી તે અગાઉની છે એટલું તે સ્પષ્ટ છે પણ તે અગાઉ કયારની છે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. આ પ્રણાલિકા સમાજના વૃદ્ધમાં વૃદ્ધ પુરૂષે પિતાની સમજણ વયથી જોતા અને સાંભળતા આવ્યા છે, એટલે તેથી તેઓના જન્મ પહેલા ઘણા વર્ષો અગાઉની આ પ્રણાલિકા હોવી જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy