SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ જે પંચાંગમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ દેખે તે જન પંચાંગ નહિ એમ તુરતજ બોલી ઉઠતે. ઈતરગચ્છીય પ્રાચીન મતભેદ ઉપરથી તપાગચ્છની માન્યતાને ખ્યાલ: પર્વતિથિના જ્ઞાનમાટે ટિપ્પણની આવશ્યક્તા અને પ્રાચીનકાળમાં જેન ટિપ્પણું અને પછી જૈનેતર ટિપ્પણને કઈરીતે ઉપયોગ કરી જેનસમાજ પર્વજ્ઞાન મેળવી પર્વારાધન કરતો તેની પદ્ધતિ જોઈ ગયા, પરંતુ જૈનેતર ટિપ્પણુને જૈન શાસનમાં પ્રચાર થયા પછી ક્યારે પણ પર્વતિથિ વિષયક કાંઈપણ મતભેદ થયો કે કેમ તે વિચાર કરવો જરૂરી છે, કારણકે જે કઈપણ જાતને મતભેદ જ ન હોય તે આજે જે પ્રાચીન આચરણાની સિદ્ધિમાટે શાસ્ત્રપાઠે કે આધારો આપી શકાય છે તે પણ મળી શકત નહિ. મતભેદ વિના પૂર્વ પુરૂષે પિતાની આચરણાની ચચો પણ ન કરત. પરાપૂર્વથી મૂળ જે સંપ્રદાય ચાલ્યો આવતો તેને એક મોટો ભાગ કાળાન્તરે તપાગચ્છના નામથી પ્રસિદ્ધ પામ્યું અને આજે તે મૂળ સંપ્રદાય દેવસૂર તપાગચ્છના નામથી પ્રસિદ્ધ છે. આ દેવસૂરતપાગચ્છની તિથિ વિષયક માન્યતા તપાગચ્છ કે દેવસૂર તપાગચ્છની શરૂઆતથી નવી બંધાયેલ નથી પણ પૂર્વકાળની જૂની છે. જૈનેતર ટિપ્પણના સ્વીકાર સાથે ખરતર, અંચળ, પૉર્ણમિયક વિગેરે ગોમાં પ્રથમ મતભેદ ઉદયતિથિની માન્યતા માટે પડશે. ઈતરગચ્છીઓએ ઔદયિક તિથિ માનવાનું કબૂલ રાખ્યું પણ તેમણે ઉદયતિથિની વ્યાખ્યા સૂર્યોદયકાલની તિથિને બદલે પ્રવિષ્ટતિથિ કર્યો અને તેને લઈને પર્વતિથિના અનુષ્ઠાનક્રિયાકાલ વખતે તે તિથિ વતની હોવી જોઈએ એ આગ્રહ રાખી લોકોને બ્રમણામાં નાંખ્યા. આથી સ્પષ્ટ પ્રાચીન શૈલિ પ્રમાણે “ઉદયતિથિી કેને કહેવી તેના સ્પષ્ટ કથન અને વાસ્તવિક ઉદયતિથિ ન માનનારાને શા દે લાગે તે જણાવનારાં વચનો પૂર્વપુરૂએ રજુ કર્યા જે આપણને શ્રાદ્ધવિધિ વિગેરેમાં જોવા મળે છે. ताओ तिहीओ जासिं उदेइ सूरो न अन्नाओ । જેમાં સૂર્ય ઉદય પામે તે તિથિ જ પ્રમાણ છે. બીજી નહિં. उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥ સૂર્યોદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ બીજી તિથિને પ્રમાણ કરવામાં આવે તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના લાગે. ઉદય તિથિ નહિં માનવાથી અને પ્રવિષ્યતિથિ માનવાથી અનેક અનર્થો ૨૫. સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણે એ વચન ન માને અને પ્રવિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy