SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નામે આખા દીવસને વ્યપદેશ રાખો. એટલે પછી બીજી તિથિને ૩ જેટલે મેટે ભેગવટે હોય તે પણ બીજી તિથિ ગણાય નહિ. આથી ઉપવાસ પ્રાંતકમણ વિગેરે સર્વની વ્યવસ્થા થઈ જાય છે. ૨બીજી શંકાનું સમાધાન પણ પૂર્વશાસ્ત્રોમાં મળે છે તે આ પ્રમાણેઉપર જણાવેલા યંત્રમાં બીજા અષાડ સુદિ ૧૫ નો ક્ષય આવે છે. યુગાન્ત દિવસે , ૪ ચઉદસ છે અને ૩ પૂનમ છે. સૂર્યોદયના સિદ્ધાંત મુજબ આખા દિવસને ચૌદશ કરવી જોઈએ. છતાં પ્રાચિન કાળમાં શાસ્ત્રની રીતિએ પૂનમ પર્વતિથિ હોવાથી તેને ક્ષય ન થઈ શકે તે કારણે ક્ષીણ પૂનમને ક્ષીણ પૂનમ ન ગણતાં ચઉદસને પૂનમની સંજ્ઞા આપવામાં આવી છે. અને પૂનમ ક્ષીણ હોવા છતાં પૂનમથી વીસ દીવસ ગયા પછી અમે ચોમાસું રહ્યા છીએ એમ સ્પષ્ટ શબ્દદ્વારા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આથી જૈનપંચાંગમાં પર્વતિથિનો ક્ષય આવતો ત્યારે પણ તેને ક્ષય કરવામાં ન આવતો પણ પૂર્વ અપર્વ તિથિનો ક્ષય કરવામાં આવતો હતો તેમ ઉપર પ્રાચીન શાસ્ત્રપાઠ કહે છે. જન પંચાંગના હિસાબે વૃદ્વિતિથિ આવતી જ ન હતી જેથી તે વખતે વૃદ્વિતિથિ વખતે શું કરવું તેને પ્રશ્ન જ રહેતું ન હતું. જેનેતર ટિપણું– આ જૈન પંચાંગના વિરછેદ પછી સેંકડો વર્ષથી જૈનેતર પંચાગને સંસ્કારપૂર્વક જેનસમાજમાં ઉપગ થવા લાગ્યો, આ જૈનેતર પંચાંગમાં ક્ષય અને વૃદ્ધિ અને અનિયમિત રીતે આવે છે. કારણકે જેનેતર પંચાંગની હાલની ગણતરી મુજબ તિથિ વધારેમાં વધારે ૬૫ ઘડી અને ઓછામાં ઓછી ૫૪ ઘડી સુધીની હોય છે. બે સૂર્યોદયને સ્પર્શનારી તિથિ વૃદ્ધાતિથિ કહેવાય છે. અને સલ સૂર્યોદયને નહિ સ્પર્શનારી તિથિ ક્ષીણતિથિ કહેવાય છે. વૃદ્વિતિથિમાં તેનો ૨૩. યુગના છેલ્લા વર્ષ અભિવદ્ધિત સંવત્સરમાં પ્રાચીન જૈનતિષ ગણિત પ્રમાણે અષાઢ માસની વૃદ્ધિ આવે છે. તેમજ પ્રાચીન જૈન ગણિત પ્રમાણે યુગના અંતમાં બીજા અષાઢની પૂર્ણિમાનો ક્ષય હોય છે. વતુર્વરથi na gsfg સૂર્યપ્રજ્ઞપ્તિ ૨૧૯ જ્યોતિષ્કરંડક ૬૮) વિગેરે પાઠથી સ્પષ્ટ છે કે અષાઢ શુદિ ૧૪ ને દિવસે પૂર્ણિમા પતિત એટલે ક્ષીણ હોય છે છતાં કહે છે કે – __अभिवहितसंवच्छरे जत्थ अहिअमासो पडतितो अषाढपूणिमाओ वीसतिराते गते भण्णति ट्ठियामोत्ति । (ારા પ્રાણપળ ૩રા ૨૦ ) અભિવહિંત સંવત્સર કે જ્યાં અધિક માસ હોય છે ત્યાં અષાઢી પૂર્ણિમાથી વીસ દિવસ ગયા પછી કહે કે અમે રહ્યા છીએ અર્થાત પર્વતિથિના ક્ષય પ્રસંગે આગળની તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને આરાધવી તેને આ પાઠ સમર્થન આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy