SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૧૫માં ચંદનબાળા મુંબઈમાં આચાર્ય શ્રી કીર્તિયશ સૂરિજીએ આપેલી વાચનાની સ્પષ્ટ- સમીક્ષા. “સાહેબ ! પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આ. શ્રી કીર્તિયશસૂરિજી મ.ની બે વખતની ૩-૩ કલાકની વાચનાઓ મેં સાંભળી. મને તો બહુ સફળ લાગી.” એની સફળતાનો માપદંડ શો?' “કેમ સાહેબ! આમ કહો છો?' એટલા માટે કે એ વાચના સાંભળનારા શ્રોતાઓ પ્રાયઃ તમારા જેવા જ ને? તમારો શાસ્ત્ર- બોધ કેટલો? હોય તો ય તેમાં ઊંડાણ કેટલું? વાચનાની સફળતાનો તમારો માપદંડ શો? શૈલીમાં જરા રોચકતા હોય.. વકતૃત્વકલા હોય.. અને આડંબરપૂર્ણ રજૂઆત હોય એટલે તમને લાગે કે વાચના સફળ..!તમે (તમારા જેવા શ્રોતાઓ) ફિદા.. એટલે એ વાચનાને સફળ માની લઈએ. પણ એમ કંઈ તમારું સર્ટિફિકેટ ન ચાલે. વળી તે કંઈ પ્રમાણભૂત પણ ન ગણાય?” તો પછી કઈ વાસનાને પ્રમાણભૂત ગણવી?” “જે વિષયની વાચના કરવી હોય, તે તેના તલસ્પર્શી વિદ્વાન્ સાથે પહેલાં ચર્ચવી જોઈએ. અને એ ચર્ચામાંથી નિષ્કર્ષ કાટવો પડે. તો જ તે જૈનસંઘ માટે પ્રમાણભૂત ગણાય. વળી એ ચર્ચા માટેના બે ય પક્ષધર વિદ્વાનોની વચ્ચે મધ્યસ્થ નિર્ણાયક ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy