SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તમે બે ચૌદશે કેમ નથી કરતા ?, ત્રીજા સ્થાને રહેલી તેરશ શા માટે વધારો છો ?, ઉત્તર–જેન ટીપણુમાં પર્વતિથિઓની વૃદ્ધિ જ નથી થતી તેથી પૂનમની વૃદ્ધિમાં તેરસ વધારી છે, પણ લૌકિક લોકોત્તર શાસ્ત્રમાં નિષેધ કરેલ હોવાથી પ્રતિપદાની વૃદ્ધિ કરાતી નથી. એજ કારણે શાસ્ત્રમાં પૂનમની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિ કરાય છે. છતાં જે હને એમ કરવું ન રુચતું હોય તો તું પોતે ત્રણ ચોમાસીની પૂનમેની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિ કેમ કરે છે ? ચોમાસી પૂનમની વૃદ્ધિમાં તેરસોની વૃદ્ધિ કરવી અને બીજી પૂનમની વૃદ્ધિમાં પ્રતિપદાની આવું ક્યાંથી શીખે છે, કેમકે બધોયે અમાવસ્યાઓ અને પૂનમે પવપણે આરાધનીય છે.' ઉપર્યુક્ત “તિથિ-હાનિ પ્રશ્નોત્તર' માં આનન્દસૂરીય ગચ્છની માન્યતાઓના ખંડનમાં પૂનમની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિની ખુલ્લા શબ્દોમાં હિમાયત કરી છે છતાં લેખકે ચર્ચામાં પિતાનું નામ આપવા જેટલી પણ હિમ્મત કરી નથી, વલી પોતાના કથનના સમર્થનમાં શાસ્ત્રીય પ્રમાણ આપ્યું નથી અને લેખકની ભાષા પણ અશુદ્ધ છે આ બધું જોતાં આ “વૃદ્ધિ હાનિ પ્રશ્નોત્તર” ને લેખક કોઈ પણ પ્રામાણિક પુરૂષ હોય એમ જણાતું નથી. (૩) ત્રયોદશી-ક્ષયને પ્રતિવાદ હવે “તિથિ-ઘટાઇટ વિચાર” નામને ચર્ચા લેખ જોઈયે. પ્રસ્તુત લેખના લેખકે પણ લેખમાં પિતાનું નામ જણાવ્યું નથી છતાં એ લેખની સંસ્કૃત ભાષા જોતાં એટલું કહી શકાય કે તિથિવૃદ્ધિ–હાનિ પ્રશ્નોત્તર” ના લેખકની અપેક્ષાયે “તિથિ ઘટાઘાટ વિચાર” ના લેખકમાં વિદ્વત્તા સારી હશે. તિથિ હાનિ-વૃદ્ધિ પ્રશ્નોત્તરના લેખકે પૂર્ણિમાની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિ કરવાની હિમાયત કરી છે ત્યારે આ “ તિથિ ઘટાઘાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy