SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) આ નિયત કાલમાન(તિથિભોગ)ના અનુસાર દર બાસઠમી તિથિનો ક્ષય આવે. એ રીતે પાંચ વરસના યુગમાં ચોકકસ ક્રમ મુજબ મહિનાની (સુદની પંદર અને વદની પંદર : એમ વદ એકમ અને અમાસ સિવાયની બધી) તિથિઓનો એક એક વાર ક્ષય આવી જાય. વૃદ્ધિ તો કોઇ તિથિની ક્યારે ય આવે નહિ. હિન્દુ વિદ્વાનોની અતિપ્રાચીન ગણાતી વેદાંગ જ્યોતિષપદ્ધતિમાંય લગભગ ઉપર જણાવેલી જ પંચાંગરચના જોઈ શકાય છે. આ પંચાંગવ્યવસ્થા ઘણા લાંબા સમયથી વ્યવહારમાં પ્રચલિત નહિ હોવાનું, હાલ ઉપલબ્ધ જ્યોતિષ અને ઈતિહાસના ઉલ્લેખો ઉપરથી સમજાય છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા જેવા આંશિક પૂર્વધર ગણાતા મહાપુરુષે “ક્ષયે પૂર્વી તિથિ: $ (ગ્રીયા), वृद्धौ कार्या (ग्राह्या) तथोत्तरा; श्रीवीरजिननिर्वाणं, कार्यं लोकानुगैरिह" આ પ્રઘોષમાં, પંચાંગમાંની તિથિવૃદ્ધિધના પ્રસંગે તે તિથિની આરાધના ક્યારે કરવી–તે અંગે ફરમાવેલા માર્ગદર્શનથી, આ પ્રઘોષ લૌકિક પ્રત્યક્ષ પંચાંગને અનુલક્ષીને જ રચાયાનું સ્પષ્ટ છે. કારણ કે લોકોત્તર(જૈન) પંચાંગમાં તિથિની વૃદ્ધિ આવવાનો સંભવ જ નથી. - 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001755
Book TitleSatya Vinani Samdhanni Vato
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Principle
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy