SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયાત્ તિથિએ આરાધના કરાય છે. સ્થળ પરત્વે જે સૂર્યોદયને આશ્રયીને ઉદયાત્ તિથિએ તે તિથિની આરાધના કરીએ તો સારું જ છે. પરંતુ જેઓને શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ મુજબ ઉદયાત્ ભા.સુ.૪ના સંવત્સરીમહાપર્વની પણ આરાધના કરવી નથી એવા લોકો સ્થળ પરત્વે તિથિના ફરકની વાત કરે તે કોઈ પણ રીતે ઉચિત નથી. ગામેગામનાં પંચાંગ અલગ નીકળે તો એમાં કશું જ ખોટું નથી. આ વાત શક્ય બને તો આજે પણ પ્રયત્ન કરી શકાય છે. જે સ્થાને જે ઉદયાત્ તિથિ હોય તે સ્થાને તે તિથિએ તે તિથિનિયત આરાધના કરવી' - આટલો નિર્ણય કરી લેવાય તો સકલ શ્રી સંઘ એક તિથિએ આરાધના કરવા સમર્થ બને. એક દિવસે આરાધના કરવામાં ઐક્ય નથી. ઉદયાત્ એક તિથિએ આરાધના કરવામાં ઐક્ય છે. “શ્રી સંઘ દ્વારા જે ઠેરવવામાં આવ્યું હોય તે મુજબ આરાધના કરવામાં ઉદયાત્ તિથિને છોડવી પડતી હોય તો પણ કોઈ જ પાપ લાગતું નથી.” આ પ્રમાણે પુસ્તિકામાં આચાર્યશ્રી જણાવે છે. એ અંગે જણાવવાનું કે સૌથી પ્રથમ તો સંઘને એવું ઠરાવવાનો કોઈ અધિકાર નથી. શાસ્ત્રનિરપેક્ષ ઠરાવને માનવાથી મિથ્યાત્વાદિ પાપ લાગે જ. શાસ્ત્રસિદ્ધ વાત સ્વીકારવાના બદલે શાસ્ત્રવિરુદ્ધ ઠરાવે તે સંઘ કઈ જાતિનો ? બધા જ ભગવાનની વાત માની લે તો આજે ય વિવાદ શમી જાય એવો છે. “એક દિવસે આરાધનામાં જ ભાવસત્ય'ના ભ્રમમાં રાચતા આચાર્યશ્રી હવે “એક સમયે આરાધનામાં પૂરા ભાવસત્ય”નો મત કાઢે તો નવાઈ નહિ. જુદા જુદા સમયે થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001755
Book TitleSatya Vinani Samdhanni Vato
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Principle
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy