SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સા. સં. ભરવાનાં તાત્કાલિક કારણે કેળવણપ્રિય હાઈ કેળવણીની સંસ્થાઓ સ્થાપવામાં વધારે પુસ્નાર્થ કરતા હતા જ્યારે બીજી બાજુ શ્રી વિજયદાનસૂરિ જુની પરંપરામાં માનનારા હોઈ તેમના મંતવ્યોને વિરોધ કરતા હતા. સં. ૧૯૭૮ માં શ્રી વિજયદાનસૂરિની પ્રેરણા અને મદદથી અમદાવાદમાં ‘વીર સમાજની સ્થાપના થઇ અને તેના દ્વારા “વીર શાસન સાપ્તાહિક પ્રગટ થવા લાગ્યું. એજ અરસામાં હાલના આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ તેમના પ્રશિષ્ય બન્યા, અને વાતાવરણ એકદમ પ્રજવલિત બની ગયું. વીરશાસન પત્રની કટારે શ્રી વિજયવલ્લભસૂરિજી માટે આગ વર્ષાવવા લાગી ને તમામ સુધારકોને અને તેમની પ્રવૃત્તિઓને અક્ષમ્ય ભાષામાં ઘેર વિરોધ થવા લાગ્યો. સાથે બાળકે દીક્ષા લે તે તેને મેટા માણસે કરતાં વધારે સારો સંસ્કાર પડે છે અને તેમાંથી ભવિષ્યના મહાપુરુષ પાકશે એવા સિદ્ધાંતને અનેક યુક્તિપ્રયુક્તિઓથી પ્રતિપાદન થવા લાગ્યું. એટલું જ નહિ પણ દીક્ષા અંગે તેફાને થવાની શરુ આત થઈ. આજ સુધી તેના અંગે કોઈક કઈક વાર છમકલાં થતાં પણ બનતાં સુધી બહાર આવતા નહિ તે આવવા લાગ્યા, ને તેના અંગે તીવ્ર પક્ષભેદો થયા, કેટલાક સ્થળે મારામારીઓ થઈને કેર્ટન પણ આશ્રય લેવાયા. શ્રી સાગરનંદરિએ પણ બાળદીક્ષાનું ખૂબ જોરથી સમર્થન કર્યું ને અપવાદમાર્ગનું સેવન કરવા સુધીની હિમાયત કરી. આથી મામલે ખૂબ બગડે. શ્રાવકને પિતાના પુત્રની સલામતી ભયમાં લાગી. જે માબાપ બાળકને સાધુઓ પાસે ધર્મને અભ્યાસ કરવા મોકલતા તે ને તેને ભેળવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy