SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિની જે તેરસ તે તિથિમાં બન્ને એટલે તેરસ તથા ચૌદશ બંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી તેરસનો સૂર્યોદય ચૌદશની પણ સમાપ્તિને સૂચવનારો થયો જ એટલે કે ચૌદશના ક્ષયે તેરસે તેરસ અને ચૌદશ ભેગાં થાય છે.” પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વ તિથિમાં તેનું કાર્ય થાય : આ ઉપરથી સમજી શકાય છે કે, જ્યારે પર્વતિથિ ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસના દિવસે તેરસનું અને ચૌદશનું બન્નેનું કાર્ય થાય છે. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરે વિ. સં. ૧૬૧૫માં રચેલ ‘શ્રી તત્ત્વતરંગિણી’ ગ્રંથમાં પણ એ જ વાતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે “तिथिपाते - तिथिक्षये पूर्वेव तिथिर्ग्राह्या अधिकायां च वृद्धौ चोत्तरैव ग्राह्या । " (મુદ્રિત પ્રત પૃ. રૂ) ભાવાર્થ : “તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને અધિક હોય ત્યારે ઉત્તરની તિથિ ગ્રહણ કરવી.” તદુપરાંત તેઓશ્રી આને અંગે વિશેષમાં ફરમાવે છે કે " क्षीणमपि पाक्षिकं - चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं ન तत्र तद्गन्धस्याप्यसम्भवात् किन्तु त्रयोदश्याम् ।" (મુદ્રિત પ્રત પૃ. રૂ) ભાવાર્થ : ચૌદશના ક્ષયે પૂનમના પક્ખી કરવી પ્રમાણ નથી, કેમકે પૂનમે તો ચૌદશના ભાગની ગંધ સરખી પણ નથી. પણ ચૌદશના ક્ષયે તેરસે જ ચૌદશની આરાધના કરવી જોઈએ.” જ્યારે તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ પણ તે તિથિની સંજ્ઞાથી ઓળખાય છે. તે માટે ‘તત્ત્વતરંગિણી’માં ઉપા. શ્રી ધર્મસાગરજી સ્પષ્ટપણે જણાવે છે કે – (મુદ્રિત પ્રત પા. રૂ) "ता अवरविद्ध अवरा वि हुज्ज न पुव्व तव्विद्धा । " ભાવાર્થ : ક્ષયતિથિ-ક્ષીણતિથિવાળી પૂર્વતિથિ કેવલ પોતાના નામથી ઓળખાય એટલું જ નહિ પણ તે તે તિથિ પાછળની ક્ષયતિથિના નામે પણ ઓળખાય છે.” પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy