SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૫ લવાદી ચર્ચાનો સાર (વિ.સં. ૧૯૯૮ માં તિથિ વિવાદના નિરાકરણ માટે શ્રીઆનંદજી કલ્યાણજી પેઠીના પ્રમુખ શ્રીકસ્તુરભાઈ શેઠ દ્વારા પૂ.આ.ભ.શ્રી. સાગરાનંદ સૂરિ.મ. અને પૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સૂરિ મ.ની સંમતિથી લવાદ તરીકે મુંબઈ યુનિવર્સિટીના એક માન્ય સંસ્કૃત પ્રાકૃતના સારા પ્રોફેસર પી.એલ. વૈદ્ય (Ph.d.) ને નિમ્યા હતા. એમણે બંને પૂ.આ.ભ.ના પ્રતિપાદનોનો અભ્યાસ કરી, સાથે સાથે ઉભય પૂ.આ. ભગવંતો સાથે મૌખિક-ચર્ચા પણ કરી. અંતે લવાદશ્રીએ નિર્ણય જાહેર કર્યો. તેનો સાર નીચે પ્રમાણે છે. ૧) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન જનતામાં તપાગચ્છીય ચતુર્વિધ સંઘમાં શ્રી વિજય દેવસૂરિ મ.સા. ના પછી કેટલાક વર્ષોથી એવી અસત્ પરંપરા ચાલી રહી છે કે પર્વતિથિઓની ટિપ્પણે કરેલી ક્ષય-વૃદ્ધિને અપ્રમાણિક માનીને પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિના ક્ષય અને વૃદ્ધિ કરે છે. એમાં એ અપર્વતિથિની ઔદયિકતા પણ ખોટી માને છે. આ પરંપરાના પ્રચલનનું દુષ્પરિણામ એ આવ્યું છે કે પૂનમઅમાસ અને ભાદરવા સુદ-પાંચમની ક્ષય-વૃદ્ધિના પ્રસંગમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આરાધનાની ચૌદસ અને ચોથ જેવી પવિત્રતા મહાપર્વ અને સર્વોત્કૃષ્ટ પર્વતિથિની આરાધનાનો તેના મુખ્ય ઔદયિક દિવસે લોપ થઈ ગયો !! આ લોપ તિથિશ્ચ પ્રાતઃ” (શ્રાદ્ધવિધિ) વગેરે જિનાગમને અનુસરનારો તો નહિ, પણ તેને પ્રતિકૂલ છે, છતવ્યવહારથી બાહ્ય છે, આધુનિક છે. યતિઓની જ્ઞાનાચારની શિથિલતાના કાળથી પ્રચલિત છે. એ ઘણો હર્ષનો વિષય છે કે શ્રીસંઘના મહંતો મહાન પુણ્યના પરિપાકથી ઉક્ત-અસત્ પરંપરાની પરીક્ષા કરવામાં કેટલાક સ્વર્ગસ્થ તથા વિદ્યમાન જૈનાચાર્યો, જૈન મુનિઓ અને વિદ્વાનોનો ઝુકાવ થયો. અને આ સંબંધમાં ગંભીર અને વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવ્યો. અહીં પણ આ વિચાર પર સૂક્ષ્મતાથી અને વિસ્તારપૂર્વક વિચાર કરવાનું પ્રાપ્ત થયું છે. જેના ફળસ્વરૂપ એ સિદ્ધાન્ત પ્રતિષ્ઠિત થયો છે, કે ઉક્ત પરંપરાનો જૈન શાસ્ત્રોમાં કોઈપણ ઉલ્લેખ નથી. બલ્ક ‘ઉદયંમિ જા તિહી’ .... તિથિશ્ચ પાતઃ, યથાપિ ચતુર્દશી વૃદ્ધો પ્રથમામવગણ્ય’ ... વગેરે અનેક શાસ્ત્રપાઠોના હિસાબે Jain Education International ૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy